મણિપુરમાં હિંસા વકરતા દેખો ત્યાં ઠારનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
બોક્સિંગ ખેલાડી મેરી કોમે ગુરુવારે કેન્દ્ર સરકારને મણિપુરમાં હિંસા પર અંકુશ કરવા મદદ કરવા અપીલ કરી હતી.
આદિવાસી લોકોના વિરોધ દરમિયાન બુધવારે ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી, જેના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આર્મી અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
ગુરુવારે સવારે અનુભવી બોક્સિંગ ખેલાડી મેરી કોમે ટ્વિટર પર મણિપુર હિંસા રોકવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો.”
તેમણે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે સેના અને આસામ રાઈફલ્સને રાત્રે તૈનાત કરવામાં આવી છે. તેની સાથે રાજ્ય પોલીસ પણ છે. સવાર સુધીમાં સુરક્ષા દળો હિંસા પર કાબૂ મેળવી લેશે.
હિંસા પ્રભાવિત વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યાંથી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.
Advertisement