હિંસાગ્રસ્ત મણિપુરના ઈમ્ફાલમાં હુમલા બાદ ભાજપના ધારાસભ્ય વુંગઝાગિન વાલ્ટેને રાજ્યમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે.
ગુરૂવારે દેખાવકારોએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આદિવાસીઓ અને મીતેઈ સમુદાય વચ્ચે અથડામણ થઈ છે. મણિપુરના આદિવાસીઓ ખુશ નથી કે બહુમતી મીતેઈ લોકો રાજ્યમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે.
મણિપુરના ડીજીપી પી ડોંગેલે કહ્યું કે બીજેપી ધારાસભ્ય વુંગઝાગિન વાલ્ટેને એર એમ્બ્યુલન્સમાં રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં જો કોઈ ખોટું કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં, સેનાની સાથે ફ્લેગ માર્ચનો આદેશ મળ્યો છે.
ડીજીપીએ કહ્યું કે બે દિવસ પહેલા સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રાજ્યમાં પોલીસની મદદ માટે CRPF અને BSF સહિત અનેક સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા છે.
Advertisement