કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાંથી ભારતીય આઈટી કંપનીઓમાં ભરતી આ વર્ષે ધીમી રહી શકે છે. વિશ્લેષકો કહે છે કે 2018-19ની સરખામણીમાં આ વર્ષે આઈટી કંપનીઓની કેમ્પસ ભરતી માત્ર 70 ટકા રહેવાની ધારણા છે.
દેશની જાણીતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ભરતીના આંકડા પ્રી-કોવિડ સ્તર પર પાછા ફર્યા છે. કંપની લગભગ 40 હજાર ફ્રેશર્સની ભરતી કરશે. નાણાકીય વર્ષ 2023ની સરખામણીમાં HCL ટેકનોલોજીસ આ વર્ષે માત્ર અડધા લોકોની જ ભરતી કરશે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે તે લગભગ 30 હજાર કામદારોની ભરતી કરી શકે છે. પરંતુ નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાટરમાં તેઓએ જણાવ્યું કે, માત્ર 13થી 15 હજારની ભરતી જ કરવામાં આવશે.
કેમ્પસ ભરતી પર દેખરેખ રાખતી ફર્મ એવું માને છે કે નાણાકીય વર્ષ 24માં કંપનીઓમાં કોવિડ પહેલાં જેવી જ ભરતી થઈ શકે છે. તેમણે કહ્યું વર્ષ 2019-20માં ઉદ્યોગમાં સામાન્ય રીતે વિકાસ કરી રહ્યો હતો અને તે પછી થોડા સમય માટે ભરતીમાં વધારો થયો. 2019-20ની સરખામણીમાં આ નાણાકીય વર્ષમાં માત્ર 70 ટકા ભરતીની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે કંપનીઓ ઘણા મોરચે બેવડા મારનો સામનો કરી રહી છે. કોવિડ દરમિયાન ભરતી માટે સ્પર્ધા હતી અને કંપની છોડનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે હતી. 2021ના ઉનાળામાં બધી કંપનીઓએ ભરતી પર સખત મહેનત કરી હતી. કંપનીઓને લાગ્યું હશે કે ઓછા લોકો જોડાશે, તેથી ભરતીનો ટાર્ગેટ બમણો કરવામાં આવ્યો.
નિષ્ણાતો કહે છે કે ભારતમાં દર વર્ષે 10થી 12 લાખ એન્જિનિયર ગ્રેજ્યુએટ પેદા થાય છે, પરંતુ માત્ર 3થી 3.5 લાખ જ રોજગાર માટે યોગ્ય હોય છે. આ સ્થિતિમાં કંપનીઓએ કર્મચારીઓની છટણી માટે તેમની આંતરિક મૂલ્યાંકલ પ્રક્રિયાને કડક બનાવવાનું શરુ કર્યું છે.
Advertisement