માલદીવની 2023ની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર મોહમ્મદ મુઈઝુએ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવીને નવા રાષ્ટ્રપતિ બન્યા છે. જ્યારથી તેમણે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ ભારત વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યા છે. ફરી એકવાર તેમણે ભારત વિરોધી નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેઓ એક અઠવાડિયાની અંદર ભારતીય સેનાને દેશમાંથી બહાર હાંકી કાઢશે.
Advertisement
Advertisement
માલદીવના નવા રાષ્ટ્રપતિ ચીનની ભાષા બોલવા લાગ્યા
માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઈઝુએ ભારત વિરુદ્ધ ચીનની ભાષામાં બોલવાનું શરૂ કરી દીધું છે. તેમણે અગાઉ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદ સંભાળવાના પ્રથમ દિવસથી જ માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાનું કામ શરૂ કરશે. માલદીવના નવા રાષ્ટ્રપતિ ચીનનું ખુલ્લેઆમ સમર્થન કરવા માટે જાણીતા છે. તેમણે એક ખાનગી સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ તેઓ માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા ખેંચી લેવાનો અનુરોધ કરશે કારણ કે તે તેમની ટોચની પ્રાથમિકતાઓમાં એક છે.
મુઈઝુ ગયા મહિને ઈબ્રાહિમ સોલિહને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા. મુઈઝુએ કહ્યું કે હું થોડા દિવસ પહેલા ભારતીય હાઈ કમિશનરને મળ્યો હતો અને તે મુલાકાતમાં મેં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.
અમે સલામતી અનુભવતા નથી: મુઇઝુ
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું, ‘માલદીવ સદીઓથી એક શાંતિપૂર્ણ દેશ રહ્યો છે. અમારી ધરતી પર ક્યારેય કોઈ વિદેશી સેના આવી નથી. અમારી પાસે કોઈ મોટું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને અમે અમારી ધરતી પર કોઈ પણ સેનાની હાજરીથી સલામતી અનુભવતા નથી. આ સિવાય જ્યારે મુઈઝુને પૂછવામાં આવ્યું કે શું તેમનો ઝુકાવ ચીન તરફ રહેશે ? આ પછી તેમણે કહ્યું કે તેઓ માલદીવ સમર્થક નીતિનું પાલન કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમે કોઈ પણ દેશની તરકફેણ નહીં કરીએ. અમારા દેશને જે માન આપે છે તે અમારો સારો મિત્ર છે.
Advertisement