ઓડિશાના ગંજમ જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. બે બસ સામસામે અથડાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગંજમ જિલ્લાના દિગપહાંડી પાસે થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને બરહામપુરની MKCG મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં 10 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 8 લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં ગંભીર ઘાયલ એક વ્યક્તિને કટકની SCB હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
જાનૈયાઓને લઈને જઈ રહી હતી બસ
અકસ્માત વિશે વાત કરતા ગંજમ જિલ્લા કલેક્ટર દિવ્યા જ્યોતિ પરિદાએ કહ્યું કે બે બસની ટક્કરમાં 10 લોકોના મોત થયાં છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે MKCG મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમે ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અકસ્માતનો ભોગ બનેલી બસોમાં એક સરકારી બસ હતી જે રાયગડાથી ભુવનેશ્વર જઈ રહી હતી, જ્યારે બીજી ખાનગી બસ ખાંડાદેઉલી ગામથી જાનૈયાઓને લઈને પરત ફરી રહી હતી.
મૃતકના સ્વજનોને સહાયની જાહેરાત
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તે જ સમયે, ઓડિશા સરકારે ઘાયલોની સારવાર માટે 30,000 રૂપિયાની જાહેરાત કરી છે.
મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે, ઓડિશા સરકારે ઘાયલોની સારવાર માટે 30,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
આ ભયાનક માર્ગ અકસ્માત વિશે માહિતી આપતાં ઓડિશાના વિશેષ રાહત કમિશનરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ગંજમ જિલ્લામાં બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને MKCG મેડિકલ કોલેજ, બરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement