ઉત્તરાખંડના નૈનીતાલમાં આજે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસ ખીણમાં પડી ગઈ છે. મળતી માહિતી મુજબ બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ, NDRF, SDRF સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. એક સ્કૂલ બસ ખીણમાં પડી ગઈ હતી અને તેમાં 30થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાંક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 14 લોકો હજુ પણ લાપતા છે.
Advertisement
Advertisement
હરિયાણાથી લોકો નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા
એસડીઆરએફને ડિઝાસ્ટર કંટ્રોલ યુનિટ નૈનીતાલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાલાઢુંગી રોડ પર નલની ખાતે એક બસ ખાઈમાં પડી ગઈ છે, જેમાં 30 થી 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા. માહિતી બાદ કમાન્ડન્ટ ઓફિસર મણિકાંત મિશ્રાએ SDRFની એક ટીમ ઘટના સ્થળે મોકલી હતી. જાણવા મળ્યું છે કે હરિયાણાથી પ્રવાસીઓ નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા.
બચાવ કામગીરી ચાલુ
SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બસમાં મુસાફરી કરી રહેલા લોકોમાંથી 18 લોકોને બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં 32 લોકોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી હતી. 18 ઘાયલ લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના અંગે નૈનીતાલના એસએસપી પી.એન. મીણાએ કહ્યું કે અમને બસ અકસ્માતની માહિતી મળી હતી ત્યારબાદ અમારી સ્થાનિક પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં અમે 28 લોકોને બચાવ્યા છે અને 3 લોકોના મોત થયા છે જેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. એક-બે લોકો હજુ પણ ફસાયેલા છે જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
Advertisement