કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમનું જૂનું સત્તાવાર નિવાસસ્થાન, 12 તુઘલક લેન બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીનું સભ્યપદ બહાલ થયા બાદ મંગળવારે તેમને જૂનું સરકારી આવાસ ફાળવવામાં આવ્યું છે. બંગલો મળતાં રાહુલ ગાંધીએ કહ્યું કે આખું હિન્દુસ્તાન મારું ઘર છે.
Advertisement
Advertisement
આ અગાઉ 4 ઓગસ્ટે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી વચગાળાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય બાદ સોમવારે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પણ લોકસભા સચિવાલય દ્વારા બહાલ કરાયું હતું. સંસદસભ્ય પદ પાછું મેળવવા માટે રાહુલ ગાંધી 136 દિવસની કાનૂની લડાઈ લડ્યા અને આખરે જીત હાંસલ કરી હતી.
#WATCH | "Mera ghar poora Hindustan hai," says Congress MP Rahul Gandhi when asked for a reaction on media reports about getting back his official residence as an MP
He has arrived at the AICC Headquarters for a meeting with the leaders of Assam Congress. pic.twitter.com/KtIzZoRPmm
— ANI (@ANI) August 8, 2023
રાહુલ ગાંધીને નિયમ મુજબ ટાઇપ-VII આવાસ ફાળવવામાં આવી શકે છે. હકીકતે, હાલ સરકારી આવાસની આઠ શ્રેણી છે એટલે કે એકથી આઠ. કેન્દ્રીય મંત્રીઓને ટાઈપ-VIII આવાસ મળે છે જે સૌથી મોટી શ્રેણી છે. ટાઇપ-V અને ટાઇપ-VII નિવાસસ્થાનો લોકસભા અને રાજ્યસભાના સાંસદોને ફાળવવામાં આવે છે. બાકીના અન્ય કેટેગરીના મકાનો સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવે છે. રાહુલ ગાંધીએ સંસદમાં ત્રણ ટર્મ પૂર્ણ કરી હોવાથી તેઓ ટાઇપ-VII બંગલા માટે પાત્ર છે.
27 માર્ચે, લોકસભા સચિવાલયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું. આ પછી કોંગ્રેસ નેતાએ 22 એપ્રિલે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરી દીધો હતો. બંગલો ખાલી કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ સત્ય બોલવાની કિંમત ચૂકવવામાં આવી છે. આ પછી રાહુલ 10 જનપથ ખાતે તેમની માતાના ઘરે રહેવા ગયા હતા. તેઓ હાલ પણ તેમની માતાની સાથે રહે છે.
શું તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે ?
સુપ્રીમ કોર્ટમાંથી રાહુલને મળેલી રાહત વચગાળાની છે. કોર્ટે કેસને ફગાવી દીધો ન હતો, પરંતુ સજા પર સ્ટે મૂક્યો છે. હવે આ કેસમાં નવેસરથી સુનાવણી થશે. ઉપલી અદાલત પણ આ કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવે તો ચૂંટણી લડવા માટે રાહુલ ગેરલાયક ઠરશે. રાહુલને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાય અથવા બે વર્ષથી ઓછા ગાળાની સજા થાય તો તેઓ ચૂંટણી લડી શકશે. જોકે આ નિર્ણય ક્યારે આવશે તે જોવું રહ્યું. એવું પણ બની શકે કે કોર્ટનો નિર્ણય 2024ની ચૂંટણી પછી આવે. આવી પરિસ્થિતિમાં રાહુલ 2024ની ચૂંટણી લડી શકે છે.
Advertisement