આજે વિશ્વ સામે જે મોટો ખતરો છે તે નજરે ન જોઈ શકાતી બીમારીઓ છે, જેમાં કેન્સર, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, હાર્ડ ફ્લેયોર, ખેંચ આવવી વગેરે. આ ઉપરાંત એવી ઘણી ઘાતક બીમારીઓ છે જે આનુવંશિક બાળકના જન્મથી જ આવી જતી હોય છે. આ બીમારીઓનો તોડ મોડર્ન સાયન્સ પાસે પહેલાં ન હતો પરંતુ હવે તજજ્ઞોની ટીમે એ સાબિત કરી બતાવ્યું છે કે ભવિષ્યમાં જે બાળકોનો જન્મ થશે તેમને આનુવંશિક એટલે કે જેનેટિક બીમારીઓ નહીં થાય.
જી, હા. તમે સાચું વાંચ્યું છે. વિશ્વના પ્રથમ સુપરબેબીનો જન્મ લંડનમાં થયો છે અને આ બેબીને આનુવંશિક બીમારી નહીં થાય તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. કારણ કે આ બાળક પાસે માત્ર તેના માતા-પિતા સિવાય ત્રીજી વ્યક્તિના DNA પણ ઉમેરાયા છે.
ડીએનએ વિશેષતાઓ રાખવા માટે IVF ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો દાવો કરાયો કે, આ બાળકને એવો કોઈ આનુવંશિક રોગ નહીં હોય, જેની સારવાર ન થઈ શકે.
જે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકનું સર્જન થયું છે તેને મિટોકોન્ડ્રીયલ ડોનેશન ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ બાળકને જન્મ આપવા માટે સ્વસ્થ મહિલાના ઈંડામાંથી ટિશ્યુ લઈને આઈવીએફ એમ્બ્રીયો તૈયાર કરાયો, જે સ્ત્રીના ગર્ભમાં તેનો જન્મ થયો છે તેના આનુવંશિક રોગોથી આ ગર્ભ સુરક્ષિત છે. એટલે કે માતાના શરીરમાં થતા રોગોથી પ્રભાવિત થશે નહીં.
સાયન્ટિસ્ટોએ જણાવ્યું કે આ ગર્ભમાં જૈવિક માતા-પિતાના શુક્રાણુ અને ઈંડાનું મિટોકોન્ડ્રિયા મિશ્રિત કરવામાં આવ્યું છે. મિટોકોન્દ્રિયાએ કોઈપણ કોષનું પાવર હાઉસ છે.
જોકે આ બાળકમાં 99.8 ટકા તેના ઓરિજિનલ માતા-પિતાના જ ડીએનએ છે.
ઈંગ્લેન્ડના ડોક્ટરો દ્વારા વિકસાવાયેલી મિટોકોન્ડ્રીયલ ડોનેશન ટ્રીટમેન્ટને એમઆરટી એટલે કે મિટોકોન્ડ્રિયલ રિપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ પણ કહેવામાં આવે છે.
Advertisement