ગાઝાએ ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. હમાસે ઈઝરાયલ પર 5000 રોકેટ છોડ્યાં હતા. આ હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસના આતંકવાદીઓને ઈઝરાયેલ પર હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝા પટ્ટી પર હાજર હમાસ સામે જવાબી કાર્યવાહી કરી છે. ઈઝરાયલ શહેરના મેયર સહિત અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારતે ઈઝરાયલમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં રોકેટ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા હોવાની આશંકા છે. 2000 રોકેટ હુમલા બાદ મૃતકો અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે.
ઈઝરાયલમાં હુમલાના ડરાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાઝા શહેરથી આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ઈસ્લામિક સંગઠન હમાસે ઈઝરાયલ પર હુમલો શરૂ કર્યો ત્યારે તેલ અવીવમાં લાંબા સમય સુધી રોકેટ હુમલાની ચેતવણીની સાયરનો વાગતી રહી હતી. રોકેટ હુમલા વચ્ચે સાયરનના અવાજ ઉપરાંત ગાઝાના આકાશમાં ધુમાડાના ગોટેગોટા પણ દેખાઈ રહ્યા હતા.
#WATCH | Gaza City: Gaza skyline after sirens warning of incoming rockets near Tel Aviv as the Islamist movement Hamas launched attack on Israel.
(Source: Reuters) pic.twitter.com/9vlIoc57nL
— ANI (@ANI) October 7, 2023
ઇઝરાયલ પર હમાસના રોકેટ હુમલા અને હમાસના આતંકવાદીઓનો સફાયો કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા રાજદૂત નાઓર ગિલોને જણાવ્યું હતું કે, ઇઝરાયલનું સૈન્ય જમીન માર્ગે ઘૂસણખોરી અને રોકેટ હુમલાને નિષ્ફળ બનાવશે. નાગરિકોની સુરક્ષા માટે સરકાર કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. તેમણે કટોકટીના સમયમાં ભારતની ભૂમિકા પર પણ ટિપ્પણી કરી. રાજદૂતના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ ભારતના લોકોના સમર્થનની પ્રશંસા કરે છે. આતંકવાદી સંગઠન હમાસ અને તેના હિંસક કૃત્યો સામે ઈઝરાયેલ મક્કમતાથી ઊભું છે.
ભારતે ઈઝરાયલમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વચ્ચે નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરી છે. લોકોને અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી રીતે સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું ટાળવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલ પર સંપૂર્ણ ધ્યાન આપવા એડવાઈઝરીમાં કહેવાયું છે.
ઈમરજન્સીમાં હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ
દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી પર પણ ધ્યાન આપવું જોઈએ. વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન તરીકે ફોન નંબર – +97235226748 અને કોન્સ્યુલેટનું ઈ-મેલ આઈડી – [email protected] પણ જાહેર કર્યું છે.
Advertisement