દિલ્હીઃ સ્વાતંત્ર્ય દિવસનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણાં દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા. જેના કારણે તેમની ખુરશી ખાલી રહી હતી. હવે કોંગ્રેસ તરફથી નિવેદન જારી કરીને તેનું કારણ આપવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
કાર્યક્રમમાં ખડગેની ખુરશી ખાલી જોવા મળી
લાલ કિલ્લા પર આયોજિત સમારોહ દરમિયાન ખડગેની ખુરશી ખાલી જોવા મળી હતી. બાદમાં, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ‘ખડગેને તેમના ઘરે અને કોંગ્રેસ પાર્ટી કાર્યાલય પર તિરંગો ફરકાવવો હતો, તેથી તેઓ લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં હાજરી આપી શક્યા નહીં. તેઓ લાલ કિલ્લાના સમારોહમાં ગયા હોત તો ધ્વજ ફરકાવવા માટે સમયસર ઘરે અને પાર્ટી કાર્યાલય પહોંચી શક્યા ન હોત. સુરક્ષા કારણોસર તે ઝડપથી લાલ કિલ્લાથી નીકળી પણ ન શક્યા હોત. તેમને ઓછામાં ઓછા બે કલાક ત્યાં રહેવું પડ્યું હોત. કોંગ્રેસે વધુમાં કહ્યું કે તેઓ સાંજે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને હાજર રહેશે.
આ પહેલા ખડગેએ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, “સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. લોકશાહી અને બંધારણ આપણા દેશનો આત્મા છે. આપણે આ શપથ લઈએ છીએ કે આપણે દેશની એકતા અને અખંડિતતા માટે, પ્રેમ અને ભાઈચારા માટે, સૌહાર્દ અને સદભાવના માટે લોકશાહી અને બંધારણની સ્વતંત્રતાની જાળવણી કરીશું. જય હિંદ.”
Advertisement