NIAએ બુધવારે સવારે છ રાજ્યોમાં 122 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. NIAના દરોડા પાકિસ્તાન અને કેનેડા સહિત વિદેશમાં સ્થિત ગેંગસ્ટરો, ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદી જૂથો વચ્ચેના કથિત સાંઠગાંઠ પર એક્શનનો એક ભાગ છે.
Advertisement
Advertisement
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ NIAની ટીમે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં કેટલાક શંકાસ્પદ ઘરો પર દરોડા પાડ્યા છે. NIAના અધિકારીઓએ સવારે લગભગ 4 વાગ્યે આ સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું.
એક અધિકારીએ જણાવ્યું કે એનઆઈએ દ્વારા નોંધાયેલા ત્રણ કેસના સંદર્ભમાં શોધ ચાલી રહી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ અને નેટવર્ક, ટોચના ગેંગસ્ટરો પર દરોડા અને સર્ચ તેમના ગુનાહિત અને વ્યવસાયિક સહયોગીઓ પર કાર્યવાહીનો એક ભાગ છે.
એક અધિકારીએ જણાવ્યું કે આતંકી નેટવર્ક, તેમના ફંડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટના ખાત્મ સુધી તપાસ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં NIAએ હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં ગેંગસ્ટરો સાથે સંબંધ હોવાની આશંકા ધરાવતા લોકોના ઘરો પર દરોડા પાડ્યા હતા.
NIAની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં સક્રિય અનેક ગુનાહિત ગેંગ હવે દુબઈથી કાર્યરત છે અને પ્રો ખાલિસ્તાની જૂથો તેમના નેટવર્કનો ઉપયોગ કરીને અંડરવર્લ્ડ જેવી તેમની ખોટી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદેશમાં રહેતા અર્શ દલા અને ગૌરવ પટિયાલ જેવા ભાગેડુઓ ટાર્ગેટ કિલિંગ, ખંડણી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભારતીય જેલો અને અન્ય દેશોમાં બંધ ખાલિસ્તાન તરફી તત્વોના સંપર્કમાં છે. એવું પણ જાણવા મળ્યું છે કે જેલ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ગુનાખોરી-આતંકવાદની સાંઠગાંઠ મજબૂત બની છે.
ઓગસ્ટ 2022માં NIAએ કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ, પાકિસ્તાન સ્થિત હરવિંદર સિંહ અને યુએસ સ્થિત ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ ત્રણ કેસ નોંધ્યા હતા. ગુરપતવંત સિંહ પન્નુ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના સ્થાપક છે. આ સિવાય NIAએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, વિક્રમ બ્રાર અને તેમના વિરોધીઓ દવિન્દર બંબીહા, કૌશલ ચૌધરી, નીરજ બવાના, દિલપ્રીત અને સુખપ્રીત વિરુદ્ધ પણ બે કેસ નોંધ્યા છે.
Advertisement