અંધવિશ્વાસને લઇને ભારતમાં કોઇ વ્યકિતના મૃત્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે પણ વિદેશના લોકો અંધવિશ્વાસમાં માનતા નથી હોતા તેમ છતાં આફ્રિકના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર ૪૭ લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આ મૃતદેહ પાદરીની જમીન પર જ મળ્યા હતા. કેન્યાના શાકાહોલાના જંગલમાં પોલીસને વધુ મૃતદેહો મળ્યાં છે. પાદરીએ લોકોને કહ્યું હતું કે, જો તમે ભૂખ્યા રહીને પોતાની જાતને દફન કરી લેશો તો સીધા સ્વર્ગમાં જશો અને તમારી મુલાકાત જીસસ સાથે થશે. જો કે પોલીસ તરફથી આ લોકોના મૃતદેહ છેલ્લાં ત્રણ દિવસોથી નીકાળવામાં આવી રહ્યા છે પણ મૃતદેહની સંખ્યા વધતી જઇ રહી છે. મલિંદી-કાઉન્ટીના પોલીસ પ્રમુખ જોન કેમ્બોઇએ કહ્યું કે, પાદરી પોલ માકેંજીની જમીન પર હજુ વધુ કબરો ખોદવામાં આવશે. ત્યારબાદ જ આત્મહત્યા કરનારા લોકો વિશે જાણકારી મળશે. વધુમાં તેમણે કહ્યું કે, ૧૪ એપ્રિલે મૃતહેદ મળ્યા પછી પાદરીને ઝડપી લેવામાં આવ્યા છે અને પાદરીના કહેવા પર જ આ પગલું ભર્યું છે. આ સમગ્ર મામલે પાદરીએ પોતાને નિર્દોષ માની રહ્યો છે અને તેણે કહ્યું કે, આત્મહત્યા કરવા માટે મેં પ્રેરિત કર્યા નથી. ૨૦૧૯માં જ ચર્ચ બંધ કરી દીધી હતી, જોકે પોલીસ આ સમગ્ર મામલે કડક તપાસ કરી રહી છે.
Advertisement
Advertisement
Advertisement