જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લા માં ગુરુવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર બારામુલ્લા જિલ્લામાં થયું હતું. હાલમાં સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદી પાસેથી એકે 47 રાઇફલ અને પિસ્તોલ સહિત અન્ય હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઠાર માર્યા છે અને તેમની પાસેથી મળી આવેલ દારૂગોળો જપ્ત કર્યો હતો. અધિકારીઓનું માનવું છે કે આ આતંકવાદી ખીણમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે થયેલા એન્કાઉન્ટર માં બે આતંકીઓ માર્યા ગયા છે. હવે સુરક્ષા દળો બારામુલ્લા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સમગ્ર વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ઓન ધ સ્પોટ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
કાશ્મીરના ADGPએ જણાવ્યું કે બંને સ્થાનિક આતંકવાદી છે, જેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોવાની માહિતી છે. આ બંને આતંકીઓની ઓળખ શોપિયાં જિલ્લાના શાકિર માજિદ નઝર અને હનાન અહેમદ શેહ તરીકે થઈ છે. બંને માર્ચ 2023માં આતંકવાદી સંગઠનમાં જોડાયા હતા અને ખીણમાં આતંક ફેલાવવા નો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળ સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે કુપવાડા જિલ્લાના પિચનાદ માછિલ વિસ્તાર પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
Advertisement