જમ્મુમાં મંગળવારે સવારે એક બસ ખીણમાં પડતાં દસ લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 55 ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી અને ઝજ્જર કોટલીની ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
Advertisement
Advertisement
જમ્મુના એસએસપી ચંદન કોહલીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી લગભગ સંપૂર્ણ થઈ ગઈ છે. SDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. તેમણે ઉમેર્યું કે બસમાં તેની નિયત મર્યાદા કરતાં વધારે પેસેન્જર હતા. દુર્ઘટનાની તપાસ દરમિયાન તેની પણ તપાસ કરવામાં આવશે.
#WATCH | Bus accident in Jammu | 10 people died and around 55 are injured. All have been evacuated. Rescue operation is almost complete. SDRF team is also present on the spot. The bus was carrying more passengers than the prescribed limit and will be probed during the probe: SSP… pic.twitter.com/z1RiZTzkwn
— ANI (@ANI) May 30, 2023
આ અગાઉ બચાવ અને રાહત કાર્યમાં જોડાયેલા સીઆરપીએફ અધિકારી અશોક ચૌધરીએ ANIને જણાવ્યું કે, “સવારે અકસ્માતની માહિતી મળતાં જ અમારી ટીમ તરત જ અહીં પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે બસમાં બિહારના લોકો હતા અને તેઓ કટરા જઈ રહ્યા હતા.”
દુર્ઘટનામાં અન્ય ઘાયલ લોકોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Advertisement