જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ અથડામણ ચાલી રહી છે. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ શનિવારે માહિતી આપી હતી કે રાજૌરીના કાંડી જંગલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કાશ્મીર ઝોન પોલીસે શનિવારે કહ્યું કે બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં બીજું એન્કાઉન્ટર શરૂ થયું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
Advertisement
Advertisement
બારામુલ્લામાં એક આતંકવાદીને ઠાર કર્યો
એસએસપી બારામુલ્લા અમોદ અશોક નાગપુરેએ જણાવ્યું કે, બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આજે અમને માહિતી મળી હતી કે કરહામા ગામમાં કંઈક શંકાસ્પદ બની રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું જેમાં એક આતંકી માર્યો ગયો તે લશ્કર-એ-તૈયબાનો હતો. અમે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. G20ને લઈને અમારી ફોર્સ એલર્ટ પર છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
આતંકી હુમલામાં સુરક્ષાદળના 5 જવાન શહીદ થયા હતા
એન્કાઉન્ટર વિશે માહિતી આપતા કાશ્મીર ઝોન પોલીસે કહ્યું, “રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
Advertisement