ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ઈસરો) એ ખરાબ હવામાન અને પ્રારંભિક ટેકનિકલ મુશ્કેલીઓને પાર કરીને આજે ફરી એક વખત અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. ઈસરો એ તેના માનવરહિત ગગનયાન મિશનનું ટેસ્ટ લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1)ને સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વાહને ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમને 17 કિમીની ઊંચાઈએથી રિલીઝ કરી દીધી હતી. ત્યારબાદ ક્રૂ મોડ્યુલ સિસ્ટમને પેરાશૂટ દ્વારા સફળતાપૂર્વક સમુદ્રમાં ઉતારવામાં આવી હતી.
Advertisement
Advertisement
ઈસરોના વડા એસ સોમનાથે મિશનની સફળતાની જાહેરાત કરી અને કહ્યું કે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનની સમસ્યા પછી, લિફ્ટ ઑફ પ્રક્રિયા દરમિયાન, કમ્પ્યુટરે એન્જિનમાં ખામી દર્શાવી અને ઈસરોની ટીમે તરત જ તેને સુધારી લીધી અને અમે ટેસ્ટ લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
#WATCH | ISRO chief S Somanath says, "I am very happy to announce the successful accomplishment of Gaganyaan TV-D1 mission" pic.twitter.com/MyeeMmUSlY
— ANI (@ANI) October 21, 2023
આ રીતે ટેસ્ટ મોડ્યુલ બંગાળની ખાડીમાં પડ્યું
બંગાળની ખાડીમાં ક્રૂ એસ્કેપ મોડ્યુલ સ્પ્લેશડાઉન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ઈસરોએ તેને લગતો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
#WATCH | Gaganyaan's test flight successfully tests the crew escape module. The module touched down in the Bay of Bengal
(Video source: ISRO) pic.twitter.com/wG5qQUrK9O
— ANI (@ANI) October 21, 2023
ક્રૂ-એસ્કેપ મિશન શું છે ?
ઈસરોએ જણાવ્યું હતું કે આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 માં કોઈપણ અનિચ્છનિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે, તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે યાનથી અલગ થઈ જશે. તે થોડા સમય સુધી ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં હાજર અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.
ટેસ્ટના આધારે ગગનયાન કાર્યક્રમ શરૂ થશે
સિંગલ-સ્ટેજ લિક્વિડ પ્રોપેલન્ટ રોકેટના આ પ્રક્ષેપણ દ્વારા માનવોને અવકાશમાં મોકલવા માટે ઈસરો તેના મહત્વાકાંક્ષી કાર્યક્રમ ‘ગગનયાન’ની દિશામાં એક પગલું આગળ વધ્યું છે. ત્રણ દિવસના ગગનયાન મિશનનું લક્ષ્ય પૃથ્વીની 400 કિમીની નીચલી ભ્રમણકક્ષામાં માણસોને અવકાશમાં મોકલવાનું અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા છે. ઈસરોએ શુક્રવારે કહ્યું હતું કે આ પરીક્ષણ ફ્લાઇટની સફળતા બાકીના પરીક્ષણો અને માનવરહિત મિશન માટે પાયો નાખશે, જેને લીધે પ્રથમ ગગનયાન કાર્યક્રમ શરૂ થશે.
Advertisement