ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શેર કરી છે. આ ફોટા 6 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપરચર રડાર (DFSAR) સાધન દ્વારા લેવામાં આવ્યા હતા. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું.
Advertisement
Advertisement
સ્પેસ એજન્સીએ તેના નિવેદનમાં માહિતી આપી હતી કે ડીએફએસએઆર ચંદ્રયાન-2 ઓર્બિટર પર લગાવવામાં આવેલું એક મુખ્ય વૈજ્ઞાનિક સાધન છે. તે L અને S બેન્ડમાં માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. આ અદ્યતન સાધન હાલમાં કોઈપણ ગ્રહોના મિશન પર સૌથી સારું રિઝોલ્યુશન ધરાવતી ધ્રુવીય તસવીરો પાડે છે. ડીએફએસએઆર છેલ્લાં ચાર વર્ષથી ચંદ્રની સપાટી પરથી ઉચ્ચ ગુણવત્તાનો ડેટા ટ્રાન્સમિટ કરી રહ્યું છે.
Chandrayaan-3 Mission:
Here is an image of the Chandrayaan-3 Lander taken by the Dual-frequency Synthetic Aperture Radar (DFSAR) instrument onboard the Chandrayaan-2 Orbiter on September 6, 2023.More about the instrument: https://t.co/TrQU5V6NOq pic.twitter.com/ofMjCYQeso
— ISRO (@isro) September 9, 2023
નાસાએ પણ વિક્રમ લેન્ડરની તસવીર શેર કરી હતી
આ પહેલા તાજેતરમાં જ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીર શેર કરી હતી. આ તસવીર 27 ઓગસ્ટના રોજ ચંદ્રની પરિક્રમા કરતા તેના Lunar રિકોનિસેંસ ઓર્બિટર (LRO) દ્વારા લેવામાં આવી હતી. ઈસરોએ 5 સપ્ટેમ્બરની સાંજે વિક્રમ લેન્ડરની 3D તસવીર પણ શેર કરી હતી. એજન્સીએ તેની ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, તેને જોવાની ખરી મઝા લાલ અને વાદળી રંગના 3D ચશ્માથી આવશે. આ તસવીર પ્રજ્ઞાન રોવરે લેન્ડરથી 15 મીટરના અંતરેથી ક્લિક કરી હતી.
વિક્રમ લેન્ડરના તમામ પેલોડ બંધ
હાલ વિક્રમ લેન્ડરના તમામ પેલોડને સ્વીચ ઓફ એટલે કે બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે, લેન્ડરના રીસીવર્સ ચાલુ રાખવામાં આવ્યા છે. એજન્સીએ કહ્યું કે એક વખત સૌર ઉર્જા વપરાઈ જાય અને બેટરી ખતમ થઈ જાય તે પછી વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન રોવર પાસે જ રહેશે. ઈસરોએ આશા વ્યક્ત કરી કે બંને (લેન્ડર-રોવર) 22 સપ્ટેમ્બરે ફરી એકવાર કામ શરૂ કરી દેશે. અગાઉ ઈસરોએ કહ્યું હતું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને તેને હવે સુરક્ષિત રીતે પાર્ક કરી દેવામાં આવ્યું છે. પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં સેટ કરી દેવાયું છે.
Advertisement