ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આવતીકાલે શુક્રવારે ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ કરવા જઈ રહ્યું છે. ISROના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3નું નાનું મોડલ લઈને સફળ પ્રક્ષેપણ માટે તિરુપતિ વેંકટચલપતિ મંદિરે પ્રાર્થના કરવા પહોંચી હતી.
Advertisement
Advertisement
વૈજ્ઞાનિકોએ પૂજા – અર્ચના કરી
ઈસરોના વૈજ્ઞાનિકોએ આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બાદમાં તેમણે નાનું મોડલ બતાવીને કહ્યું કે તે ચંદ્રયાન-3 છે. આવતીકાલે તેનું પ્રક્ષેપણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ISROએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ISRO ચંદ્રયાનનું ત્રીજું મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે.
ઇસરો ચીફ પણ મંદિર પહોંચ્યા
ઈસરોના વડા એસ સોમનાથ પણ પૂજા કરવા માટે તિરુપતિ મંદિરે પહોંચ્યા હતા. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ વિશે તેમણે કહ્યું કે ભારત આવતીકાલે બપોરે 2:35 વાગ્યે તેનું ત્રીજું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ લોન્ચ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે બધું સારું થાય અને 23 ઓગસ્ટ પછીના કોઈપણ દિવસે તે ચંદ્ર પર ઉતરાણ કરે.
#WATCH | Andhra Pradesh | A team of ISRO scientists team arrive at Tirupati Venkatachalapathy Temple, with a miniature model of Chandrayaan-3 to offer prayers.
Chandrayaan-3 will be launched on July 14, at 2:35 pm IST from Satish Dhawan Space Centre, Sriharikota, ISRO had… pic.twitter.com/2ZRefjrzA5
— ANI (@ANI) July 13, 2023
મંગળવારે રિહર્સલ કર્યું
આ પહેલા ઈસરોએ મંગળવારે ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું. ISROતરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પ્રક્ષેપણની તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું 24 કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 14 જુલાઈના રોજ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરશે. ચંદ્રયાન-3નું વિશેષ ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. અગાઉ, ઈસરોએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એમ બે મિશન લોન્ચ કર્યા હતા, પરંતુ તે બંને ચંદ્રની સપાટી પર ઉતરી શક્યા ન હતા.
શું છે ચંદ્રયાન-3 ?
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે અને પરીક્ષણો હાથ ધરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું ખાસ ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર રહેશે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
Advertisement