ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 ઉપગ્રહે પૃથ્વીની ભ્રમણકક્ષા પરિવર્તનનો બીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ISROએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આદિત્ય L1નો પૃથ્વીની ભ્રમણકક્ષાના પરિવર્તનનો બીજો તબક્કો બેંગલુરુના ISTRACકેન્દ્રથી હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન, મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ખાતે ITRAC/ISRO ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહને ટ્રેક કર્યો હતો.
Advertisement
Advertisement
ઈસરોએ વધુમાં જણાવ્યું કે હવે આદિત્ય એલ1ની નવી ભ્રમણકક્ષા 282 કિમી x 40225કિમી છે. આગામી ત્રીજી ઓર્બિટ રિપ્લેસમેન્ટ કવાયત (EBN#3) એટલે કે ભ્રમણકક્ષાના પરિવર્તનનો ત્રીજો તબક્કો 10 સપ્ટેમ્બર 2023 ના રોજ આશરે 02:30 વાગ્યે હાથ ધરવામાં આવશે.
Aditya-L1 Mission:
The second Earth-bound maneuvre (EBN#2) is performed successfully from ISTRAC, Bengaluru.ISTRAC/ISRO's ground stations at Mauritius, Bengaluru and Port Blair tracked the satellite during this operation.
The new orbit attained is 282 km x 40225 km.
The next… pic.twitter.com/GFdqlbNmWg
— ISRO (@isro) September 4, 2023
આ અગાઉ 3 સપ્ટેમ્બરે, આદિત્ય L1 એ સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષા બદલી હતી અને તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. ઈસરોએ રવિવારે સવારે લગભગ 11.45 વાગ્યે આદિત્ય એલ-1નું પ્રથમ અર્થ બાઉન્ડ ફાયરિંગ કર્યું, જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી.
ઈસરોએ શનિવારે PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ભ્રમણ કરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.
આદિત્ય પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વીતાવશે
ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલીને આગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. આ સમયગાળા દરમિયાન, તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે.
આદિત્ય 110 દિવસ પછી લેગ્રેંજિયન પોઈન્ટ પહોંચશે
110 દિવસની મુસાફરી પછી, આદિત્ય L1 લેગ્રેંજિયન – 1 પોઈન્ટ પર પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા પછી, આદિત્ય L1માં બીજું મેનુવર કરવામાં આવશે, જેની મદદથી આદિત્ય L1ને L1 પોઈન્ટની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. અહીંથી આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરશે. આ લેગ્રેંજિયન બિંદુ સૂર્યની દિશામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. આદિત્ય એલ1 સાથે સાત પેલોડ મોકલવામાં આવ્યા છે, જે સૂર્યનો વિગતવાર અભ્યાસ કરશે. તેમાંથી ચાર પેલોડ્સ સૂર્યપ્રકાશનો અભ્યાસ કરશે. બાકીના ત્રણ સૂર્યના પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.
Advertisement