ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી, ISROએ શ્રીહરિકોટાથી આદિત્ય-L1 સૌર મિશનના સફળ પ્રક્ષેપણ સાથે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આદિત્ય-એલ1ને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના PSLV-XL રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતે આજે શનિવારે તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય એલ-1’ લોન્ચ કર્યું છે. સૂર્યના અભ્યાસ માટે, ‘આદિત્ય એલ-1’ને પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર ‘લેગ્રાંગિયન-1’ પોઈન્ટ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે.
Advertisement
Advertisement
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું હતું. શ્રીહરિકોટાથી ઇસરોના PSLV રોકેટે આદિત્ય-L1ને લઈને ઉડ્ડયન કર્યું ત્યારે પ્રક્ષેપણને નિહાળવા એકત્ર થયેલાં લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. જેને લીધે સમગ્ર વાતાવરણ દેશભક્તિ સભર બની ગયું હતું.
#WATCH | Crowd chants 'Bharat Mata Ki Jai' as ISRO's PSLV rocket carrying Aditya L-1 lifts off from Sriharikota pic.twitter.com/5uI6jZfLvJ
— ANI (@ANI) September 2, 2023
ત્રીજો તબક્કો પૂર્ણ થયો
ISROના આદિત્ય L1 અવકાશયાનને આવરી લેતું પેલોડ પૃથ્વીના વાતાવરણની બહાર નીકળતાંની સાથે જ અલગ થઈ ગયું છે. પીએસએલવીને અલગ કરવાનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે.
જી માધવન નાયરે આ વાત કહી
આદિત્ય એલ-1 મિશન વિશે ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયરે કહ્યું કે આ મિશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આદિત્ય એલ-1ને લેગ્રાંગિયન પોઈન્ટ 1ની આસપાસ મૂકવામાં આવશે, જ્યાં પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લગભગ શૂન્ય થઈ જાય છે અને ન્યૂનતમ બળતણ સાથે આપણે ત્યાં અવકાશયાનને રાખી શકીશું. આ ઉપરાંત, તે પોઈન્ટ પરથી 24/7 અવલોકન શક્ય છે. અવકાશયાનમાં સાત સાધનો લગાવવામાં આવ્યા છે. આ મિશનના ડેટાથી વાતાવરણમાં બનતી વિવિધ ઘટનાઓ, આબોહવા પરિવર્તન અભ્યાસ વગેરેને સમજવામાં મદદ મળશે.
અવકાશ હવામાન અને આગામી અવકાશ મિશનને સમજવામાં ખૂબ મદદરૂપ થશે
આદિત્ય L1 મિશન પર જવાહરલાલ નેહરુ પ્લેનેટોરિયમના પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રાએ જણાવ્યું હતું કે અન્ય દેશોની અવકાશ એજન્સીઓ સૂર્ય પર અવલોકનો કરી ચૂકી છે. આદિત્ય L1 સાથે, અમારી પાસે સૂર્ય પરનો ડેટા પણ હશે, જે અમને અવકાશના હવામાન અને આગામી અવકાશ મિશનને સમજવામાં ઘણી મદદ કરશે.
આદિત્ય L1 મિશન વિશે જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમના પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રાએ જણાવ્યું હતું કે અન્ય દેશોની અવકાશ એજન્સીઓ સૂર્ય વિશે અવલોકનો કરી ચૂકી છે. આદિત્ય L1 સાથે, આપણી પાસે સૂર્ય પરનો ડેટા પણ હશે, જે અવકાશના હવામાન અને આગામી અવકાશ મિશનોને સમજવામાં ઘણી મદદ કરશે.
મિશનનો મુખ્ય ઉદ્દેશ
સૂર્ય મિશનનો મુખ્ય ઉદ્દેશ સૌર વાતાવરણમાં ગતિશીલતા, સૂર્યના કોરોનાની ગરમી, સૂર્યની સપાટી પર સૌર ભૂકંપ અથવા કોરોનલ માસ ઇજેક્શન (CMEs), સૌર જ્વાળા-સંબંધિત પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ અને પૃથ્વીની નજીકના અવકાશમાં હવામાન સંબંધી સમસ્યાઓને સમજવાનો છે.
Advertisement