ભારતીય સ્પેસ રિચર્સ સંસ્થાન (ઈસરો)એ હાલમાં જ સિંગાપોરના સેટેલાઈટને અવકાશમાં તરતા મૂક્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે ભારત તેનું સૌથી મહત્વનું મિશન ચંદ્રયાન-3 જુન મહિનામાં લોન્ચ કરી શકે છે.
ભારતની ઈસરો આગામી મૂન (ચંદ્ર) મિશનના ભાગરુપે ચંદ્રયાન-3ના પરિક્ષણમાં લાગેલી ચે. ભારતનું આ ત્રીજું મૂન મિશન હશે, જેનો હેતુ ભારતના રોવરને ચંદ્રની સપાટી પર ઉતારીને ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લેવાનો છે.
ઉલ્લેખનીય છે કે ઈસરોનું ચંદ્રયાન-2 મિશન 2019માં લોન્ચ કરાયું હતું, જેમાં ઈસરોને સફળતા મળી ન હતી.
ઈસરોના એક ઉચ્ચ અધિકારીએ એક અંગ્રેજી ન્યૂઝ સંસ્થાન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે 2023ની મધ્યમાં ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. ચંદ્રયાન-3 માટેના ક્રાફ્ટ સંપૂર્ણ રેડી થઈ ગયા છે.
Advertisement