UAEની સૌથી સસ્તી એરલાઈન ગણાતી Wizz Air અબુ ધાબીથી ભારતની ફ્લાઈટ શરુ કરવા માંગે છે. આ માટે તે નિયામક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે. વિઝ એર અબુ ધાબીના ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર જોહાન ઈહાગેને જણાવ્યું કે, અમે ભારતીય ઉપમહાદ્વીપને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ. કારણ કે ત્યાં ઘણી માંગ છે. અમે તે બજારમાં પ્રવેશવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અત્યારે અમે નિયમનકારી સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ અને એકવાર તે સમાપ્ત થઈ ગયા પછી અમે રુટની જાહેરાત કરી શકીશું.
એરલાઈન હાલમાં 11 સ્થળોએ સેવા આપે છે. એરલાઈન આ ઉનાળામાં કિર્ગિસ્તાન માટે ફ્લાઈટ શરુ કરશે. ઉપરાંત તે સાયપ્રસ અને ઈજિપ્ત માટે સેવાઓ ફરી શરુ કરશે.
તે હાલમાં આઠ એરક્રાફ્ટનું સંચાલન કરે છે. કંપનીએ આ વર્ષ સુધીમાં તેને બમણું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે તેણે 12 લાખ મુસાફરોને યાત્રા કરાવી હતી. આ વખતે એરલાઈન્સ તેને 20 લાખ સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.
વિઝ એર તેના ડિસ્ટાઉન્ટેડ ટિકિટ દરો માટે જાણીતી છે. આ એરલાઈન કેટલીકવાર 179 દિરહામ (રુ.3980)માં ટિકિટ વેચે છે. એરલાઈન ભારત માટે પણ આટલું મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરશે.
કંપનીના એમડીએ કહ્યું કે જો લોકોને ખરેખર સારી ઓફર જોઈતી હોત તો તેઓ વિઝ ડિસ્કાઉન્ટ ક્લબમાં જોડાઈ શકે છે, જ્યાં તેમને વિશિષ્ટ ડિસ્કાઉન્ટ મળશે.
Advertisement