ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના તાજેતરના નિવેદનથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડી રહી છે. કેનેડાએ ભારત જતા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કર્યા બાદ હવે ભારતે મોટો નિર્ણય લેતાં કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ સસ્પેન્શન આગામી આદેશ સુધી અમલમાં રહેશે.
Advertisement
Advertisement
વિઝા ઈસ્યુ ન કરવા પાછળ શું કારણ બતાવાયું ?
કેનેડામાં ભારતીય વિઝા સેવાઓના પોર્ટલ પર એક સૂચના પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં ભારતીય મિશનોને સંબોધતા, કહેવામાં આવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર, ભારતીય વિઝા ઈસ્યુ કરવાની પ્રક્રિયાને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકોને અપડેટ માટે વેબસાઇટ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
કોરોના મહામારી પછી પહેલીવાર વિઝા સેવા સ્થગિત
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના તાજેતરના નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો છે. તેવામાં ભારત સરકારે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી પછી આ પહેલીવાર ભારત સરકારે વિઝા સેવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી
મીડિયા અહેવાલો અનુસાર વિઝા સેવાઓ સ્થગિત કરવા અંગે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે, કેનેડામાં વિઝા સેવાઓ પૂરી પાડતી કંપની BLS ઇન્ટરનેશનલ દ્વારા આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓપરેશનલ કારણોસર, ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બર, 2023 થી આગામી આદેશો સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ધમકી બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીયો અને ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી.
Advertisement