કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં આયોજિત એક કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત પોતાના હિતોની સુરક્ષા માટે જરૂર પડ્યે નિયંત્રણ રેખા પાર કરી શકે છે.
Advertisement
Advertisement
રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતના આક્રમક નિવેદનો ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે. તેનાથી દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક વાતાવરણ અસ્થિર થઈ શકે છે. આ પહેલીવાર નથી જ્યારે ભારતીય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ દ્વારા આવા નિવેદનો આપવામાં આવ્યા હોય. આવી આંધળી રાષ્ટ્રવાદી નિવેદનબાજી બંધ થવી જોઈએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતના નેતૃત્વએ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન કોઈપણ આક્રમણથી પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ છે. ભારતીય નેતાઓ ચૂંટણીનો લાભ મેળવવા માટે અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે તેમના નિવેદનોમાં પાકિસ્તાનને ઘસડે છે અને આ પ્રકારના વલણનો અંત આવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે કહ્યું હતું કે કારગિલ યુદ્ધ જીત્યા બાદ પણ ભારતે નિયંત્રણ રેખા પાર કરી નથી. કારણ કે ભારત એક શાંતિપ્રિય દેશ છે જે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ અમારા હિતોના રક્ષણ માટે જરૂરી હશે તો અમે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ અને તેમાં એલઓસી પાર કરવાની કાર્યવાહી પણ સામેલ છે.
Advertisement