કેનેડા અને ભારત વચ્ચે કડવાશ વધી રહી છે. કેનેડાના હુમલા બાદ હવે ભારતે વળતો જવાબ આપ્યો છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારી વિરુદ્ધ ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. આજે સવારે જ ભારતમાં કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જે બાદ ભારતે કેનેડિયન રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. કેનેડિયન રાજદ્વારી પર ભારતના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજદ્વારીઓ પણ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા.
Advertisement
Advertisement
કેનેડાના આરોપો ભારતે નકારી કાઢ્યા
આ અગાઉ વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, કેનેડામાં હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપો પાયા વિનાના પૂરાવા વિનાના છે. કેનેડાના વડાપ્રધાને ભારત સરકાર પર કરેલા આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો છે.
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું ?
તમને જણાવી દઈએ કે કેનેડાની સંસદમાં આપેલા નિવેદનમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવતા કહ્યું હતું કે કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકારી લેવાશે નહીં અને તપાસમાં સહયોગની પણ માગ કરી હતી. તેમના આ નિવેદન પછી કેનેડામાં બેઠેલા ખાલિસ્તાન સમર્થકો સક્રિય થઈ ગયા છે.
"Credible allegations of potential link": Canadian PM Trudeau accuses India of being behind killing of Khalistani terrorist
Read @ANI Story |https://t.co/76XZhpJGlw#Canada #JustinTrudeau #India #HardeepSinghNijjar pic.twitter.com/NkK5zhfhtP
— ANI Digital (@ani_digital) September 18, 2023
નિવેદન બાદ ખાલિસ્તાની સમર્થકો સક્રિય થયા
જસ્ટિન ટ્રુડોના નિવેદન પછી કેનેડામાં બેઠેલા ખાલિસ્તાન સમર્થકો સક્રિય થઈ ગયા છે. જેના કારણે માત્ર ત્યાં રહેતા ભારતીયો જ નહીં પરંતુ રાજદ્વારીઓ અને ભારતીય દૂતાવાસ પર પણ જોખમ છે. મળતી માહિતી મુજબ, ખાલિસ્તાન સમર્થકોએ 25 સપ્ટેમ્બરે કેનેડાના હાઈ કમિશન અને તમામ કોન્સ્યુલેટની બહાર મોટા પ્રદર્શનની તૈયારી કરી લીધી છે. ખાલિસ્તાની સમર્થકોએ સોમવારે બ્રિટિશ કોલંબિયાના એક ગુરુદ્વારામાં બેઠક યોજી હતી અને ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
18 જૂને નિજ્જરની હત્યા થઈ
ગઈ 18 જૂને ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે તેને ડેઝિગ્નેટેડ આતંકવાદી જાહેર કર્યો હતો. ભારત સરકારે 41 આતંકવાદીઓની જાહેર કરેલી યાદીમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો.
Advertisement