આજકાલ ઉનાળામાં ચારધામની યાત્રા માટે લોકોની લાઈનો લાગી છે ત્યારે ઉત્તરાખંડ સરકારે હૃદયરોગ સંબંધિત બે મહિનામાં 58ના મૃત્યુ થયા છે એ વાત જાહેર કરીને આવનાર માટે ફીટનેસ કેટલી જરૂરી છે તે વાતને વધુ મહત્ત્વ આપ્યું છે.
Advertisement
Advertisement
ગઈકાલે ઉત્તરાખંડ સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા બે મહિનામાં 58 વ્યક્તિઓના મૃત્યુ થવા અંગેનો આંકડો જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી કેદારનાથ યાત્રામાં લોકોની લાઈનો લાગી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ માટે લોકો અહીં આવે છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા અહીં મેડિકલ ટીમ અને જરૂરી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે પરંતુ કેટલાંક ક્રિટિકલ કિસ્સામાં પ્રવાસીઓના જીવન બચાવી શકાયા નથી અને લગભગ 58 જેટલાં પ્રવાસીઓના જીવ ગયા હોવાની સરકારે સ્વીકૃતિ આપી છે.
આ સાથે ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે એ પણ ચેતવણી આપી હતી કે અહીં જે કોઈ લોકો આવે છે તે પ્રોપર આરોગ્યની ચકાસણી કરીને આવતા નથી અને આ કારણે જ ઘણીવાર ઊંચાણવાળા વિસ્તારોમાં વધુ ચાલવાથી અથવા તો વધુ પડતાં સ્ટ્રેસ કે તણાવથી પણ પ્રવાસીઓ હૃદયરોગનો ભોગ બને છે. કેદારનાથ જવા માટે સતત 16 કિલોમીટરનું ચઢાણ છે અને આ ચઢાણ વખતે હૃદયની મુશ્કેલીવાળા દર્દીઓને વધુ તકલીફ પડે છે.
આ ઉપરાંત વધુ પડતી ભીડને લીધે પણ ઘણાં દર્દીઓ પેનિક થઈ જતાં જોવા મળે છે અને એ જ કારણે તેમના હાર્ટ બીટ વધી જાય છે અને છાતીમાં દુઃખાવાની તકલીફો પડે છે.
જો તમે સારી રીતે આ પ્રવાસ કરવા ઈચ્છતા હોવ તો શારીરિક ચકાસણી કરીને આવો તો વધુ સારું રહેશે. કેટલાંક દર્દીઓને એવું લાગતું હોય કે તેઓને ચઢાણ કરતી વખતે વધુ ઓક્સિજનની જરૂર પડી શકે છે તો આવા દર્દીઓએ પણ સાથે ઓક્સિજનનું મિનિ સિલિન્ડર રાખવું જોઈએ.
Advertisement