નેપાળના બાજુરાના દાહાકોટમાં ગુરુવારે રાત્રે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે. હજી સુધી જાન-માલના નુકસાનના કોઈ અહેવાલો આવ્યા નથી.
નેપાળના સુરખેત જિલ્લામાં સિસ્મોલોજી સેન્ટરના અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ ભૂકંપ મોડી રાત્રે 11.58 વાગે (સ્થાનિક સમય) આવ્યો હતો, જેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી, જ્યારે બીજા આંચકાની તીવ્રતા 5.9 નોંધાઈ છે, જે મોડી રાત્રે 1.30 વાગે અનુભવાયો હતો.
સ્થાનિક પોલીસની સર્ચ ટીમે જણાવ્યું છે કે આ સમગ્ર વિસ્તારમાં કોઈ જાન-માલના નુકસાનના વાવડ નથી, બધી પરિસ્થિતિ સામાન્ય છે.
Advertisement