પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ મામલામાં આજે (શુક્રવાર) ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર કરવામાં આવશે.
Advertisement
Advertisement
તેમને શુક્રવારે સવારે 11 વાગે કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આ કેસમાં તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરતાં તેમને ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવાનું કહ્યું હતું.
ગુરુવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા ઇમરાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે, “અરજીકર્તાને આવતીકાલે (શુક્રવારે) સવારે 11 વાગ્યે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર કરવામાં આવે જેથી કરીને અલ કાદિર ટ્રસ્ટ કેસમાં NAB દ્વારા તેની ધરપકડને પડકારવામાં આવતી અરજી પર સુનાવણી થઈ શકે.
સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદે જાહેર કરી છે, પરંતુ તેમને ઘરે જવાની મંજૂરી આપી નથી. બે દિવસ પહેલા ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં ઉગ્ર હિંસા અને દેખાવો શરૂ થઈ ગયા હતા.
કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તે શુક્રવારે ઇસ્લામાબાદ વમૌ2 હાઈકોર્ટમાં હાજર નહીં થાય ત્યાં સુધી તેણે પોતાની સુરક્ષા માટે કોર્ટની દેખરેખ હેઠળ પોલીસ સુરક્ષામાં રહેવું પડશે.
ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે ઈમરાન ખાનને કહ્યું કે ‘તમારી ધરપકડ ગેરકાયદેસર છે, તેથી આખી પ્રક્રિયાને શરૂઆતથી જોવાની જરૂર છે.’
જસ્ટિસ બંદ્યાલે કહ્યું, “અમે પ્રસ્તાવ મૂક્યો છે કે ઇસ્લામાબાદ પોલીસ હાજર થવા દરમિયાન સુરક્ષામાં રહેશે અને તેમણે (ઇમરાન ખાને) તે સંબંધીઓ અને વકીલોના નામોની સૂચિ આપવી પડશે જેને તે પોલીસ લાઇન હેડક્વાર્ટરમાં મળવા માંગે છે.”
ઇમરાન ખાને કોર્ટને વિનંતી કરી હતી કે તેમને ઇસ્લામાબાદની બહાર આવેલા તેમના ફાર્મ હાઉસમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવે.
ઇમરાન ખાનના વકીલ બાબર અવાને પત્રકારોને જણાવ્યું કે કોર્ટે આદેશ આપ્યો છે કે તે સુપ્રીમ કોર્ટની કસ્ટડીમાં રહેશે અને તે પોતાના નજીકના લોકોને મળી શકશે.
Advertisement