પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી થોડી વધારે રાહત મળી છે. હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ પર પ્રતિબંધના સમયગાળાને 31 મે સુધી લંબાવી દીધો છે. પીટીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
Advertisement
Advertisement
કોર્ટે કહ્યું છે કે 31 મે સુધી ઈમરાનની કોઈ પણ સંજોગોમાં ધરપકડ કરવામાં આવશે નહીં. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાન બે દિવસની અટકાયત બાદ પાછલા શનિવારે વહેલી સવારે લાહોરમાં પોતાના ઘરે પહોંચ્યા છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બે અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે.
ઈમરાન રોડ માર્ગે લાહોરમાં પોતાના ઘરે પહોંચ્યો છે. જ્યાં તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જામીન મળ્યા બાદ પણ ઈમરાન ખાન થોડા કલાકો સુધી ઇસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાં જ રહ્યા હતા. જોકે, ભૂતપૂર્વ પાકિસ્તાની PM એ દાવો કર્યો હતો કે ઇસ્લામાબાદ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલે તેમને લાહોર જતા રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેમને ત્રણ કલાક રાહ જોવી પડી.
એક વીડિયો સંદેશમાં ઈમરાન ખાને કહ્યું કે તેને કોર્ટમાં ત્રણ કલાક સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો અને વિવિધ બહાના કરીને બહાર જવા દેવામાં આવ્યો ન હતો. આ દરમિયાન ઈસ્લામાબાદ પોલીસે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ઈમરાન ખાને સુરક્ષામાં સહકાર આપ્યો નથી અને તે પોતે જ તેના કાર્યો માટે જવાબદાર રહેશે.
ઇસ્લામાબાદ કેપિટલ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઇસ્લામાબાદ કેપિટલ પોલીસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ પર ઈમરાન ખાનને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી હતી. ગયા અઠવાડિયે ભ્રષ્ટાચારના આરોપમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓ બની હતી. તે પછી પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આ મુદ્દામાં દખલગીરી કરીને હિંસાને શાંત પાડી હતી.
Advertisement