રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ બાદ ભારતની લોકશાહી વિશેના એક સવાલ પર અમેરિકા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું- ભારત એક લોકશાહી દેશ છે જે સતત વિકાસ કરી રહ્યો છે. નવી દિલ્હીની મુલાકાત લેનાર કોઈપણ તેને જોઈ અને અનુભવી શકે છે. અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન લોકશાહીની સંસ્થાઓની તાકાત વિશે પણ ચર્ચા કરીશું.
Advertisement
Advertisement
કિર્બીએ કહ્યું કે ભારત અનેક સ્તરે અમેરિકાનું મજબૂત ભાગીદાર છે. તે ક્વાડનું સભ્ય છે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારા ખાસ મિત્ર છે. સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને શાંગરી-લા ડાયલોગમાં ભારત સાથે વધારાના સંરક્ષણ સહયોગની જાહેરાત કરી છે. ભારત સાથે અમેરિકાના સંબંધો ઘણાં સ્તરે મહત્વપૂર્ણ છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડન ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. અમારો હેતુ આ ભાગીદારીને આગળ લઈ જવાનો છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું- અમે કોઈપણ મુદ્દા પર વાત કરતા શરમાતા નથી અને તમે તમારા મિત્રો સાથે જ તેમ કરી શકો છો. જો કે પીએમ મોદીની આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેની મિત્રતા અને ભાગીદારીને આગળ વધારવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જશે. આ દરમિયાન ભારતમાં 350 ફાઈટર જેટ એન્જિનના નિર્માણ માટે બંને દેશો વચ્ચે મોટી વ્યૂહાત્મક સમજૂતી થવાની શક્યતા છે. આ ઉપરાંત 22 હજાર કરોડના 30 MQ-9 B સશસ્ત્ર ડ્રોન ખરીદવાનો કરાર થવાની પણ શક્યતા છે.
દરમિયાન, દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી ચીની યુદ્ધ જહાજ સાથે અથડામણ અંગે વ્હાઇટ હાઉસે કહ્યું કે તાઇવાન ખાડીમાં આક્રમકતા માટે ચીનની સેના જવાબદાર છે. ચીને આવી બેદરકારી ટાળવી જોઈએ. આના કારણે ઘણી વખત ભૂલ થઈ જાય છે અને જેના કારણે કોઈને ઈજા પણ થઈ શકે છે.
Advertisement