ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ ફરી એકવાર સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. છેલ્લાં પાંચ દિવસમાં કાશ્મીરમાં ઘૂસણખોરીની આ બીજી ઘટના હતી જેમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ અગાઉ 22 ઓક્ટોબરે બારામૂલાના ઉરી સેક્ટરમાં બે ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
સૈન્યના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે કુપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ચોક્કસ માહિતીના આધારે સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરહદ પારથી થઈ રહેલી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. હજુ પણ સ્થળ પર ઓપરેશન ચાલુ છે.
Based on a specific information provided by Kupwara Police, an #encounter has started in Machhal sector in which two #terrorists have been killed so far. Operation underway. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 26, 2023
બીજી બાજુ કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. તેમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.
Advertisement