જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુલામ નબી આઝાદે દાવો કર્યો છે કે હિંદુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છે અને અગાઉ તમામ મુસ્લિમો હિંદુ હતા. આઝાદે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક જાહેર સભામાં આ વાત કરી હતી. કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનારા આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો: આઝાદ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાનો છે. આ વીડિયોમાં આઝાદ કહે છે કે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારનું નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા, જેમણે પાછળથી ધર્માંતરણ કર્યું હતું.
ધર્માંતરણ કરી બન્યા મુસ્લિમ : આઝાદ
ડોડામાં આપેલા ભાષણમાં આઝાદે જણાવ્યું હતું કે 600 વર્ષ પહેલા કાશ્મીરમાં માત્ર કાશ્મીરી પંડિતો હતા. પછી ઘણાં લોકો ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. દરમિયાન, ગુલામ નબી આઝાદે લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા જાળવવા વિનંતી કરી અને કહ્યું, ‘ધર્મને રાજનીતિ સાથે ન જોડવો જોઈએ. લોકોએ ધર્મના નામે મત ન આપવા જોઈએ. આ સાથે જ આઝાદે ધર્મને રાજકારણ સાથે જોડનારા લોકો પર પણ પ્રહાર કરતાં કહ્યું કે રાજનીતિમાં ધર્મનો સહારો લેનાર કમજોર છે. જેમને પોતાનામાં વિશ્વાસ છે તે ધર્મનો સહારો લેશે નહીં. યોગ્ય વ્યક્તિ કહેશે કે હું આગળ શું કરીશ, વિકાસ કેવી રીતે લાવીશ. ધર્મની રાજનીતિ કરવાવાળાને મત ન આપો.
ગુલામ નબી આઝાદે વધુમાં કહ્યું, ‘આપણે બહારથી આવ્યા નથી. આ માટીમાં જ પેદા થયા છીએ. આ માટીમાં જ ભળી જવાનું છે. ભાજપના કેટલાક નેતાએ કહ્યું કે કેટલાક બહારથી આવ્યા છે તો કેટલાક અંદરથી આવ્યા છે. મેં તેમને કહ્યું કે અંદર કે બહારથી કોઈ આવ્યું નથી. આ અગાઉ જેએનયુ વિદ્યાર્થી સંઘની નેતા શહલા રાશિદે એક નિવેદન આપ્યું હતું. તેમાં શહલાએ જમ્મુ-કાશ્મીરમાં વિકાસ માટે સરકારના વખાણ કર્યા હતા.
Advertisement