ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભલે વરસાદનું જોર ધીમું પડ્યું હોય, પરંતુ ઉત્તરાખંડ અને હિમાચલ જેવા રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત રહી છે. કેદારનાથમાં આકાશમાંથી વરસેલી વરસાદી આફત બાદ 13 લોકો ગુમ થયા છે. કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી વિનાશ સર્જાયો છે.
Advertisement
Advertisement
ભૂસ્ખલનથી ઘણી દુકાનો ધરાશાયી થઈ ગઈ અને 13 લોકો લાપતા થઈ ગયા છે. NDRFએ તે લોકોની શોધખોળ શરૂ કરી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ ચોકી પુલ પાસે ગઈકાલે રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ત્રણ દુકાનોને નુકસાન થયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, પોલીસ ટીમ, SDRF, NDRF સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે હાજર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દલીપ સિંહ રજવારના જણાવ્યા અનુસાર, અમને માહિતી મળી છે કે ભેખડો ધસી પડવાથી અને ભારે વરસાદથી ત્રણ દુકાનોને નુકસાન થયું છે. સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં લગભગ 10-12 લોકો હતા, પરંતુ હજુ સુધી તેમનો પત્તો લાગ્યો નથી.
હવામાન વિભાગ દ્વારા દેહરાદૂન, હરિદ્વાર, પૌડી, નૈનીતાલ, ચંપાવત, ચમોલી, બાગેશ્વરધામમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી તરફ હિમાચલમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. કાલકા-શિમલા સહિત 330 રૂટ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ચોમાસાના 41 દિવસમાં રાજ્યમાં 200 લોકોના મોત થયા છે, જ્યારે 31 લોકો ગુમ થયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યાં છે અને ભૂસ્ખલનને કારણે 330 રસ્તા બંધ થઈ ગયા છે.
પીએમ મોદીને મળવા પહોંચ્યા હિમાચલના સીએમ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં આવેલી આફતના સંબંધમાં તેઓ વડાપ્રધાન મોદીને મળશે. અમે અમારી વાત વડાપ્રધાન સમક્ષ મુકીશું.
મીડિયા સાથે વાત કરતા હિમાચલ પ્રદેશના PWD મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે રાજ્યમાં 330 રસ્તા બંધ છે. કાલકા-શિમલા સહિત NHAIના બે મુખ્ય ચાર માર્ગીય રસ્તા પણ બંધ છે. મેં NHAI ના અધિકારીઓ સાથે વાત કરી છે, હું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માનું છું કારણ કે તેમણે તેમની મુલાકાત દરમિયાન રાજ્યને 400 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી
Advertisement