દિલ્હી: મણિપુર વાયરલ વીડિયો કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે આ વીડિયો જાહેર થયા બાદ આ આખું પ્રકરણ બહાર આવ્યું છે. પરંતુ, આ એક માત્ર ઘટના નથી જેમાં શોષણ કરવામાં આવ્યું હોય, આવી તો બીજી ઘણી ઘટનાઓ બનતી હોય છે પણ બહાર આવતી નથી.
Advertisement
Advertisement
3 મે થી અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ છે?
CJIએ કહ્યું કે, અમારે મહિલાઓ વિરુદ્ધ હિંસાના વ્યાપક મુદ્દા પર ધ્યાન આપવા માટે એક સિસ્ટમ પણ બનાવવી પડશે. તંત્રએ આવા તમામ કેસોની કાળજી લેવામાં આવે. તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ ઉપરાંત ચીફ જસ્ટિસે સવાલ પૂછતાં કહ્યું કે મણિપુરમાં હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ બંને પક્ષોને સાંભળશે અને પછી યોગ્ય કાર્યવાહી અંગે નિર્ણય લેશે. અમારી પાસે અત્યાર સુધી પુરાવાનો કોઈ રેકોર્ડ નથી.
‘મહિલાઓ સીબીઆઈ તપાસના વિરોધમાં’
મણિપુરની બે પીડિત મહિલાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે મહિલાઓ આ મામલાની સીબીઆઈ તપાસ અને આ કેસને આસામમાં ટ્રાન્સફર કરવાની વિરુદ્ધમાં છે. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “અમે આ કેસને ક્યારેય આસામમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી નથી.
SCના નિરીક્ષણ હેઠળ તપાસ સામે કોઈ વાંધો નથી: કેન્દ્ર
કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું, “તે સ્પષ્ટ છે કે પોલીસ બે મહિલાઓ પર હિંસા આચરનારા અપરાધીઓ સાથે કામ કરી રહી હતી અને પોલીસ આ મહિલાઓને ભીડમાં લઈ ગઈ અને ટોળાને જે કરવું હતું તે કરવા દેવામાં આવ્યું. જ્યારે, સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલાની દેખરેખ કરે તો કેન્દ્રને તેમાં કોઈ વાંધો નથી.
Advertisement