આજે મલેલી GST કાઉન્સિલની 52મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. GST કાઉન્સિલની આ બેઠકમાં શ્રીઅન્નનો લોટ અને ENA તેમજ GST એપેલેટ ટ્રિબ્યુનલ અંગેના નિર્ણયોની કેન્દ્રીય નાણાંમંત્રીએ માહિતી આપી હતી.
Advertisement
Advertisement
હવે શ્રીઅન્નના લોટ પર જીએસટી નહીં લાગે
GST કાઉન્સિલની 52મી બેઠક બાદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “.. GST કાઉન્સિલ મિલેટ વર્ષનો એક ભાગ બનવા માંગતી હતી. તેથી, મિલેટ એટલે કે ધાન -બાજરી સંબંધિત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ એવો લોટ જેમાં મિલેટનું પ્રમાણ 70 ટકા અથવા તેથી વધુ હોય અને તે છૂટક સ્વરૂપે વેચાતો હોય, તો તેના પર 0% GSTની જોગવાઈ કરવામાં આવી છે. આ લોટને પેક કરીને વેચવામાં આવશે તો જ તેના પર 5% GST વસૂલવામાં આવશે.”
ENA પર ટેક્સ લગાવવાનો રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો
એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું, “GST કાઉન્સિલે આજે ENA પર ટેક્સ લગાવવાની સત્તા રાજ્યોને સોંપી દીધી છે. રાજ્યો તેના પર ટેક્સ લગાવવા માંગતા હોય, તો તેઓ તેમ કરવા માટે આવકાર્ય છે. જો રાજ્યો તેને છોડવા માટે ઇચ્છે તો તેઓ તેના પર નિર્ણય લેવા માટે આવકાર્ય છે. GST કાઉન્સિલ તેના પર ટેક્સ લેવાનો નિર્ણય કરતી નથી, જો કે ટેક્સ લગાવવાનો અધિકાર અહીં નિહિત છે. તેથી રાજ્યોના હિતમાં, જો હું આ શબ્દનો ઉપયોગ કરું તો, અમે તેનો અધિકાર રાજ્યોને સોંપી દીધો છે.
ટ્રિબ્યુનલના ચેરમેન અને સભ્યોની ઉંમર અંગે લેવાયેલ નિર્ણય
GST એપેલેટ ટ્રિબ્યુનલ અંગે કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું હતું, “છેલ્લી 2-3 બેઠકોમાં, અમે ટ્રિબ્યુનલની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. આ બેઠકમાં પણ ટ્રિબ્યુનલ સંબંધિત મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યો હતો. GST એપેલેટ ટ્રિબ્યુનલની રચનાનો નિર્ણય પહેલેથી જ લેવામાં આવ્યો છે. આજે કાઉન્સિલે અગાઉ લીધેલા નિર્ણયમાં કેટલાંક સુધારા કરવાનો નિર્ણય કર્યો. તે ન્યાયિક સભ્ય સાથે સંબંધિત છે. આ નિર્ણયો ખાસ કરીને તેમની ઉંમર સાથે સંકળાયેલા છે.”
નાણામંત્રીએ કહ્યું કે આજે લીધેલા નિર્ણય મુજબ અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ મહત્તમ 70 વર્ષ સુધીનો રહેશે. અગાઉ આ આંક 67 હતો. અધ્યક્ષ અને સભ્યો માટે તે અનુક્રમે 67 અને 65 હતા. જ્યારે હવે અમે જે નિર્ણય લીધો છે તે મુજબ કાર્યકાળ અનુક્રમે 70 અને 67 વર્ષ સુધીનો હોઈ શકે છે.
Advertisement