કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં જનતાને મોટી રાહત આપી છે. LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાની સબસિડી આપવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી છે. સરકારે આ રાહત સિલિન્ડર પર સબસિડીના રૂપમાં આપી છે.
Advertisement
Advertisement
મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે રક્ષાબંધન અને ઓણમ પર મોટી જાહેરાત કરી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં તમામ ગ્રાહકોને 200 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવશે. એટલે કે તેમને એક ગેસ સિલિન્ડર પર 400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી.
ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 400 રૂપિયાની સબસિડી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ લોકોને ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની અલગ સબસિડી આપવામાં આવશે. એટલે કે તેમને કુલ રૂ. 400ની સબસિડી આપવામાં આવશે. તમામ ગ્રાહકોને 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ પહેલા 1 ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 75 લાખ મહિલાઓને મફત ગેસ કનેક્શન પણ આપવામાં આવશે. તેમને પાઇપ અને સ્ટવ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે રાંધણ ગેસ સિલિન્ડર ફરી એકવાર સસ્તા થયા છે, પીએમએ રક્ષાબંધન અને ઓણમના તહેવાર નિમિત્તે દેશની કરોડો બહેનોને ભેટ આપી છે.
પીએમ મોદીએ 15મી ઓગસ્ટના ભાષણમાં પણ મોંઘવારીથી રાહત આપવા માટે પગલાં લેવાની વાત કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું મનાય છે કે આના દ્વારા સરકાર મોંઘવારીના મોરચે તેને ઘેરી રહેલા વિપક્ષના એક દાવાને ફગાવી શકશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિલિન્ડરની મોંઘવારીનો મુદ્દો બનાવ્યો હતો અને તેની અસર પણ જોવા મળી હતી. આ સ્થિતિમાં લોકસભાની ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે પ્રજાને મોંઘવારીથી મોટી રાહત આપી છે.
Advertisement