વૈશ્વિક પડકારો વચ્ચે અર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરીષદની બેઠકમાં ભાગ લેશે. RBIના ગવર્નર શક્તિકાંત દાસ સહિત નાણાકીય ક્ષેત્રના તમામ નિયમનકારો બેઠકમાં ભાગ લેશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં શેરબજારમાં રુ. 10,850 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ એપ્રિલમાં તેણે રુ. 11630 કરોડ અને માર્ચમાં રુ. 7936 કરોડના શેર ખરીદ્યા હતા.
ઉત્તર ભારતમાં કમોસમી વરસાદને કારણે એર કન્ડિશનર, ફ્રીજ અને કુલર જેવા ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો થયો છે. એપ્રિલ અને મેની મુખ્ય ગરમીમાં ગ્રાહકોએ એસીની ખરીદી મોકૂફ રાખી છે. કેટલીક કંપનીઓના વેચાણમાં અગાઉના વર્ષની સરખામણીમાં એપ્રિલમાં 15 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીઓ માને છે કે ઉનાળો શરુ થતા જ વેચાણમાં તેજી આવશે.
Advertisement