ભોપાલ: મધ્યપ્રદેશના મૈહરમાં ગઈ કાલે 11 વર્ષની બાળકી પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં પ્રશાસને કડક કાર્યવાહી કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ ગુનાની કબૂલાત કર્યા બાદ આજે સવારે પ્રશાસને આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસની ટીમ બુલડોઝર સાથે પહોંચી અને આરોપીના ઘરને જમીનદોસ્ત કરી દીધું. પીડિતાનું સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે પરંતુ તેની હાલત હજુ પણ નાજુક છે. તેથી હવે તેને એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
જરૂર જણાશે તો એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાશે
સરકારી હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર બાળકીના શરીર પર જાતીય શોષણના લાલ નિશાન પણ મળી આવ્યા છે. આ સાથે પ્રાઈવેટ પાર્ટમાં નાંખવામાં આવેલો સળિયો પણ ઓપરેશન બાદ કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ આ પછી પણ તેની હાલત નાજુક છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જરૂર પડશે તો તેને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. તેના માટેની તૈયારીઓ પણ પહેલાથી જ કરી લેવાઈ છે.
આરોપીના પરિવારજનોએ વિરોધ કર્યો
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની ટીમ આજે સવારે સંયુક્ત રીતે મૈહર શહેરમાં બંને આરોપીઓના ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોને તોડી પાડવા પહોંચી હતી, ત્યારે તેમના સંબંધીઓએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીના સંબંધીઓએ આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં નિર્ભયા જેવી ઘટના સામે આવી હતી. 11 વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. પીડિતા મેહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક બનતા તેને વધુ સારવાર માટે રીવા ખાતે રીફર કરવામાં આવી હતી.
Advertisement