વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સામે ભારતની ઝીરો ટોલરન્સની કડક નીતિ છે. ભ્રષ્ટાચારની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે. તેથી ભ્રષ્ટાચાર સામે લડવાની આપણી જવાબદારી છે. અમે આર્થિક ભાગેડુઓ સામે કાયદો ઘડ્યો. અમારી લડાઈ હજુ ચાલુ છે. બેઠકના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે પણ ભાગ લીધો હતો.
Advertisement
Advertisement
ભ્રષ્ટાચારથી સંસાધનોની ફાળવણીને અસરઃ પીએમ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારની અસર ગરીબ અને વંચિત વર્ગ પર પડે છે. ભ્રષ્ટાચાર સંસાધનોની ફાળવણીને અસર કરે છે. ભ્રષ્ટાચારને ભારત સહેજ પણ સાંખી શકે નહીં. અમે તેની સામે કડક નીતિ અપનાવી છે. તેમણે કહ્યું કે G20માં આપણાં સંયુક્ત પ્રયાસો ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રવીન્દ્રનાથ ટાગોરે આપણને લોભ લાચથી દૂર રહેવાની ચેતવણી આપી હતી, કારણ કે તે આપણને સત્યની અનુભૂતિ કરતા અટકાવે છે. ભ્રષ્ટાચાર સામે લડવું એ આપણા લોકો પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે.
2018 જી-20 માં ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે એજન્ડા રજૂ કર્યો
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓને $360 બિલિયન આપવામાં આવ્યા હતા. કલ્યાણ યોજનામાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી. 2018 જી-20માં ભાગેડુ આર્થિક અપરાધીઓ સામેનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. આપના ગ્રૂપ દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે જોઈને આનંદ થયો. અમે આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને ભ્રષ્ટાચારને દૂરલ કરવાના પગલાં અમલમાં મૂકીને પરિવર્તન લાવી શકીએ છીએ.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં બેઠક
હકીકતે, G-20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કરી હતી. જી-20ની અત્યાર સુધીની આ બીજી મંત્રી સ્તરીય બેઠક હશે. આ બેઠકમાં G-20 સભ્યો, 10 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના 154 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
Advertisement