જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવતા બડગામમાં પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અનેક હથિયારો પણ મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાંચેય આતંકીઓ લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલા છે. તેઓ અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવા માંગતા હતા.
Advertisement
Advertisement
બુધવારે એક અધિકારીએ જણાવ્યું કે બડગામના ખાગ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તેમને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી હતી. ટીમે કાર્યવાહી હાથ ધરીને પાંચેયની એક સ્થળેથી ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે આ પાંચેય આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળો પર હુમલો કરવાનું અને અમરનાથ યાત્રામાં અવરોધ ઉભો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. અટકાયત કરાયેલ તમામ વ્યક્તિઓ ખાગના રહેવાસીઓ હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયેલા આતંકવાદીઓની ઓળખ રઉફ અહેમદ, હિલાલ મલિક, તૌફિક ડાર, દાનિશ અહેમદ અને શૌકત અલી તરીકે થઈ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી તમામ સામગ્રીને વધુ તપાસ માટે કેસ રેકર્ડમાં લેવામાં આવી છે. પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.
આ અગાઉ મંગળવારે પોલીસે શોપિયાંમાં બે કથિત આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી હથિયારો, દારૂગોળો અને IED જપ્ત કર્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની ઓળખ ચોટીપોરા શોપિયાંના શાહિદ અહમદ લોન અને બોરીહાલન, શોપિયાંના વસીમ અહમદ ગની તરીકે કરવામાં આવી હતી.
પોલીસે ઉમેર્યું હતું કે તેમની પાસેથી એક પિસ્તોલ, એક મેગઝિન, પિસ્તોલના ચાર રાઉન્ડ, એક સાઇલેન્સર, એક IED અને રિમોટ કંટ્રોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
Advertisement