દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પ્રખ્યાત છે. કોઈ પણ સામાજિક કે રાજકીય મુદ્દો હોય, કંગના ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલ સમગ્ર વિશ્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. યુદ્ધ દરમિયાન કંગના રનૌતે ઈઝરાયેલને સમર્થન આપ્યું છે.
Advertisement
Advertisement
કંગનાએ ઈઝરાયેલને સમર્થન આપ્યું
અભિનેત્રી કંગના રનૌતે દિલ્હીમાં ઈઝરાયેલના રાજદૂત સાથે મુલાકાત કરી હતી. કંગનાએ ઈસ્લામિક આતંકવાદનો વિરોધ કર્યો છે. કંગનાએ આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું- આજે આખું વિશ્વ, ખાસ કરીને ઈઝરાયેલ અને ભારત આતંકવાદ વિરુદ્ધ પોતાની લડાઈ લડી રહ્યા છે. ગઈકાલે જ્યારે હું રાવણ દહન માટે દિલ્હી પહોંચી ત્યારે મને લાગ્યું કે મારે ઈઝરાયેલની એમ્બેસીએ જવું જોઈએ અને આજના આધુનિક રાવણ અને હમાસ જેવા આતંકવાદીઓને હરાવી રહેલા લોકોને મળવું જોઈએ.
કંગના રનૌતે વધુમાં કહ્યું કે, “નાના બાળકો અને મહિલાઓને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે કાળજું કંપાવનારું છે. મને પૂરી આશા છે કે ઈઝરાયેલ આતંકવાદ સામેની આ લડાઈ જીતશે.’ મેં તેમની સાથે મારી આગામી ફિલ્મ ‘તેજસ’ અને ભારતના સ્વનિર્ભર ફાઈટર એરક્રાફ્ટ તેજસ વિશે ચર્ચા કરી.’
હમાસ આતંકવાદી છે – કંગના રનૌત
થોડા દિવસો પહેલા કંગના રનૌતે ઈઝરાયેલના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. અભિનેત્રીએ હમાસના લોકોને આતંકવાદી ગણાવ્યા હતા. કંગનાએ પોસ્ટમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઈઝરાયેલી મહિલાઓની તસવીરો જોઈને કોઈનું દિલ તૂટી ન જાય અને ડર ન લાગે તે બિલકુલ અશક્ય છે. આતંકવાદીઓ તેમના મૃતદેહો પર દુષ્કર્મ પણ કરી રહ્યા છે. ઇઝરાયેલની મહિલા સૈનિકના મૃતદેહને નિર્વસ્ત્ર અવસ્થામાં ફેરવવામાં આવી રહ્યો છે. આ જોઈને હું લાખો ટુકડામાં તૂટી ગઈ છું. ‘ દરેક શહીદ સન્માનજનક મૃત્યુનો હકદાર છે.’
Advertisement