તમિલનાડુ: બંદરો, શિપિંગ અને જળમાર્ગ તથા આયુષ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સેવાને લીલી ઝંડી બતાવી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસના પ્રારંભ પર પીએમ મોદીએ કહ્યું કે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ.
Advertisement
Advertisement
ફેરી સેવા એક સીમાચિહ્નરૂપ છે
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ ફેરી સર્વિસ નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી છે અને તે આપણા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે.
કનેક્ટિવિટી બે દેશો અને લોકોને નજીક લાવે છે
પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની તાજેતરની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા પર સંમતિ સધાઈ હતી. તેમણે કહ્યું કે કનેક્ટિવિટી આ ભાગીદારીની કેન્દ્રીય થીમ છે. કનેક્ટિવિટીનો અર્થ માત્ર બે શહેરોને નજીક લાવવાનો નથી, પરંતુ બે દેશો અને લોકોને નજીક લાવવાનો પણ છે. કનેક્ટિવિટી વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના સંબંધોને વધારે છે.
Advertisement