પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં હિંસા અને પ્રદર્શન થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં અસ્થિરતાની સ્થિતિ જોવા મળે છે. આગામી આદેશ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
તેઓએ કહ્યું કે આઝાદી પછી પાકિસ્તાનનો કપટી ઈતિહાસ રહ્યો છે. પરંતુ ભારત માટે પાકિસ્તાનમાં સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મિડિયા સાથે વાત કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું, દુર્ભાગ્યે આઝાદીના સમયથી પાકિસ્તાનનો કપટી ઈતિહાસ રહ્યો છે. તેમના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની પણ હત્યા કરવામાં આવી હતી.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પણ તેમની પુત્રી બેનઝીર ભુટ્ટો સાથે શું થયું. કમનસીબે ભારત માટે અસ્થિર પાકિસ્તાન આપણા માટે ખતરનાક છે. અમે એક સ્થિર પાકિસ્તાન ઈચ્છીએ છીએ જે મહાદ્વીપમાં શાંતિ માટે જરુરી છે.. અમે તે દેશનું ભલું ઈચ્છીએ છીએ.
અબ્દુલ્લાએ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં પાકિસ્તાનની સ્થિતિ કોઈપણ રીતે સારી નથી. ત્યાં અર્થતંત્ર નીચે પડી રહ્યું છે. બલુચિસ્તાનમાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે. આ સ્થિતિમાં દેશને સ્થિરતાની ખૂબ જ જરુર છે. હું પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને ચિંતિત છું. તે એકદમ લોકપ્રિય છે. તે સુરક્ષિત રહે. આ આપણે પડોશી છે અને અમને આશા છે કે કંઈક સારું આવશે અને લોકો શાંતિપૂર્ણ જીવન જીવશે.
Advertisement