પંજાબમાં ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે, ભારતીય કિસાન એકતાના નેજા હેઠળ ખેડૂતો પોતાની અનેક માંગણીઓ સાથે સંગરુરના લોંગોવાલ પોલીસ સ્ટેશનની બહાર બેઠાં છે. બીજી તરફ એવી માહિતી બહાર આવી રહી છે કે ગઈકાલે લોંગોવાલથી નીકળીને બડબડ જતી વખતે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં પ્રીતમ સિંહ સહિત અનેક ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રીતમ સિંહ નામના ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયું છે.
Advertisement
Advertisement
ખેડૂતોના સમર્થનમાં ઉતરી પંજાબ કોંગ્રેસ
રાજ્યમાં આજે ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને ગઈકાલે સંગરુરમાં એક ખેડૂતના મોતને પગલે પંજાબ કોંગ્રેસે મોહાલીમાં રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે મને લાગે છે કે આજે ભગવંત માનમાં હિટલરનો આત્મા પ્રવેશી ગયો છે. ગઈ કાલે ખેડૂતો સાથે જે થયું, ખાસ કરીને લોંગોવાલમાં લાઠીચાર્જમાં ખેડૂતના મોત, તેના માટે હું ભગવંત માનને જવાબદાર માનું છું. બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે તેની નિંદા કરીએ છીએ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કોંગ્રેસ વિનંતી કરે છે કે તેઓ આ અંગે નોંધ લે અને ભગવંત માન વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ ઘડવામાં આવે અને સંબંધિત પોલીસ અધિકારીઓને ષડયંત્ર રચવામાં સહયોગીઓ ગણાવવામાં આવે અને તેમની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવે.
ખેડૂતોના વિરોધ દેખાવો હજુ પણ ચાલુ
પંજાબના સંગરુરમાં લોંગોવાલ પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે, કારણ કે ખેડૂતો નુકસાન પામેલા પાકના વળતર સહિત તેમની અનેક માંગણીઓ સાથે અહીં ધરણા પર બેઠા છે. મીડિયા સાથે વાત કરતા ખેડૂતોના પ્રતિનિધિ દિલબાગ સિંહે કહ્યું કે ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે. એટલા માટે 16 ખેડૂત સંગઠનોએ માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર રાહત ફંડ તરીકે 50,000 કરોડ રૂપિયા આપે. અમારા પાકને નુકસાન થયું છે. અમે એવી પણ માંગ કરી હતી કે અમને લૂંટવામાં ન આવે તે માટે કેરળની માફક કેન્દ્ર MSP કાયદો ઘડે.
ખેડૂતોને રોકવા માટે નાકાબંધી કરવામાં આવી
બીજી તરફ સંગરુરના એસપી પલવિંદર સિંહે કહ્યું કે ખેડૂતો ગઈકાલથી ધરણાં કરી રહ્યા છે. જ્યારે અમે તેમની સાથે વાત કરી અને મુખ્ય હાઈવે અથવા ટોલ પ્લાઝાને બ્લોક ન કરવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ અહીં (પોલીસ સ્ટેશનની નજીક) ધરણાં કરશે. પરંતુ અચાનક તેમણે આગળ વધવાની યોજના બનાવી. જેને લીધે સંબંધિત એસએચઓ અને ડીએસપીએ તેમની સાથે વાત કરી અને તેમને અહીં જ રહેવા કહ્યું હતું. પરંતુ તેમણે તેને ગણકાર્યું નહીં… અમે તેમની સાથે વાત કરવા તૈયાર છીએ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે પોલીસ દળને તૈનાત કર્યું છે… અમે લગભગ 300-350 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે અને નાકાબંધી પણ કરી છે.
Advertisement