કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાંકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા માટે 8.15% વ્યાજ દરની જાહેરાત કરી છે. EPF ખાતા પર વ્યાજ દરની જાહેરાત 24 જુલાઈ, 2023 ના રોજ એક પરિપત્ર જારી કરીને કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વ્યાજ દરને નાણાં મંત્રાલય દ્વારા નાણાંકીય વર્ષ 2022-23 માટે સત્તાવાર વ્યાજ દર બનાવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ જ નવા વ્યાજ દર અનુસાર રકમ EPF સભ્યોના ખાતામાં જમા કરવામાં આવશે.
Advertisement
Advertisement
જારી કરાયેલા પરિપત્ર મુજબ, “શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, 1952 ના પેરા 60(1) હેઠળ EPF સ્કીમની તમામ જોગવાઈઓ અનુસાર, દરેક સભ્યના ખાતામાં વર્ષ 2022-2023 માટે 8.15% ના દરે વ્યાજ જમા કરશે. પરિપત્ર પ્રમાણે દરેક સભ્યોના ખાતામાં ઉપરોક્ત વ્યાજ જમા કરવા માટે તમામ સંબંધિતોને આવશ્યક સૂચના જારી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
દર મહિને કર્મચારીનો 12% ફાળો
કર્મચારી ભવિષ્ય નિધિ એ પગારદાર કર્મચારીઓ માટે એક ફરજિયાત યોગદાન છે. કર્મચારી તેના EPF ખાતામાં જેટલી રકમ જમા કરાવે છે તેટલી જ રકમ કર્મચારીના EPF ખાતામાં જમા કરાવવા માટે એમ્પ્લોયર બંધાયેલ છે. એક કર્મચારી માસિક ધોરણે તેની કમાણીનો 12% હિસ્સો EPF ખાતામાં આપે છે. કર્મચારીનું સંપૂર્ણ યોગદાન EPF ખાતામાં રાખવામાં આવે છે. નોકરીદાતાના કિસ્સામાં, EPF ખાતામાં માત્ર 3.67 ટકા જ જમા થાય છે. બાકીની 8.33% રકમ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જાય છે.
Advertisement