સોમવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 9 પેરા કમાન્ડો સ્પેશિયલ યુનિટના 3 જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું કે શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને સોમવારે વહેલી સવારે કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારોની ઘેરાબંધી કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મોડી સાંજે તે વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ કોર્ડન તોડવાના પ્રયાસમાં સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.
Advertisement
Advertisement
જંગલ તરફના તમામ રસ્તા બંધ કરી દેવાયા
માહિતી આપતા અધિકારીઓએ એમ પણ કહ્યું કે ભાગી જવાના તમામ સંભવિત માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાયો હતો, પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે સુરક્ષા દળોએ શંકાસ્પદ આતંકવાદીઓ ત્યાં છે કે નહીં તે ચકાસવા માટે ગોળીબાર કર્યો હતો.
અન્ય એક ઘટનામાં જૂના શ્રીનગર શહેરના કવદરા વિસ્તારમાં એક બંદૂકધારીએ મ્યુનિસિપલ કાઉન્સિલર પર હુમલો કર્યો હતો. કાઉન્સિલરને તેના ઘરની બહાર ઓછામાં ઓછી બે ગોળી મારી દેવામાં આવી હતી. ગોળીબાર કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસનું કહેવું છે કે કાઉન્સિલરની ઓળખ માજિદ શાંગલુ તરીકે થઈ છે. માજિદના પરિવારનું કહેવું છે કે એક બુકાની ધારી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો.
Advertisement