એર ઈન્ડિયાના એક વિમાનનું પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ પ્લેન દુબઈથી અમૃતસર તરફ આવી રહ્યું હતું. પરંતુ, વિમાનમાં સવાર એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેથી મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેનને તાત્કાલિક અસરથી કરાંચીમાં લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
Advertisement
Advertisement
વિમાનમાં પ્રાવસ કરી રહેલા એક દર્દીની તબિયત અચાનક બગડતાં તાત્કાલિક મદદ માટે પ્લેનને કરાચીમાં ઉતારવામાં આવ્યું હતું. કરાચી એરપોર્ટ પર ડૉક્ટરે જરૂરી દવાઓ અને મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી, એરપોર્ટ મેડિકલ ટીમે ફ્લાઈટને ટેકઓફ કરવાની મંજૂરી આપી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ શું કહ્યું?
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનમાં સવાર એક મુસાફરની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે પેસેન્જરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટના ક્રૂએ તાત્કાલિક તબીબી સારવાર માટે નજીકના એરપોર્ટ કરાચી પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે કરાચીથી અમૃતસર માટે રવાના થઈ હતી. વિમાને દુબઈથી સવારે 8.51 વાગ્યે ઉડાન ભરી હતી અને સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે કરાચીમાં લેન્ડ થયું હતું.
Advertisement