ગુજરાતના ગોધરા ટ્રેન કાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આઠ દોષિતોને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમને આ રાહત અપરાધમાં તેમની ભૂમિકા અને અત્યાર સુધી જેલમાં રહી ચૂકેલી સજાના આધારે આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ગુનામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને અન્ય ચાર દોષિતોની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આ દોષિતો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ ડૉ. ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા આ કેસની સુનાવણી કરી રહ્યા હતા.
Advertisement
Advertisement
શું થયું હતુ ગોધરામાં ?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. તે આગમાં 59 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના અયોધ્યાથી પરત ફરી રહેલા હિન્દુ કાર સેવકો હતા.
આ પછી સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા.
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને પૂર્વ આયોજિત ઘટના ગણાવી હતી.
Advertisement