ભારતને નજરઅંદાજ કરીને ભૂતાને ચીન સાથે સરહદ વિવાદ પર ચર્ચા શરૂ કરી છે. છ વર્ષ પહેલાં ડોકલામ વિસ્તારમાં જ્યાં ભારત, ચીન અને ભૂતાનની સરહદો મળે છે ત્યાં રોડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર પોતાના હિતને જ નહીં પરંતુ ભૂતાનના હિતને ધ્યાનમાં રાખીને ભારતે ચીનની સેનાને 73 દિવસ સુધી રોકી રાખી હતી. આ મુદ્દે બંને દેશ સામસામે આવી ગયા હતા. ભારત ઉપરાંત ચીનનો ભૂતાન સાથે પણ દાયકાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે.
Advertisement
Advertisement
પરંતુ હવે ભૂતાને પોતાનો સરહદી વિવાદ ઉકેલવા માટે ચીન સાથે વાતચીત શરૂ કરી છે. બેજિંગમાં 21 થી 24 ઓગસ્ટ દરમિયાન બંને દેશો વચ્ચે બેઠક થઈ હતી. ભૂતાન અને ચીન વચ્ચેની વાતચીતને કારણે ભારતનું ટેન્શન વધી ગયું છે અને તે આ વાતચીત પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. ચીન અને ભૂતાન તેમના સરહદ વિવાદને ઉકેલવા માટે ‘ત્રણ સ્તરીય રોડમેપ’ના અમલીકરણને ઝડપી બનાવવા સંમત થયા છે અને બંને દેશો વચ્ચે ઘણાં દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.
છ વર્ષ પહેલા ચીને પોતાનો નવો નકશો જાહેર કર્યો હતો અને ભારત, ભૂતાન અને ચીનની સરહદ પર સ્થિત ડોકલામ વિસ્તાર પર દાવો કર્યો હતો. ભૂતાન ડોકલામને પોતાનો વિસ્તાર માને છે અને આ વિસ્તાર નાથુલા પાસની ખૂબ નજીક છે, જેના કારણે તે ભારત માટે સુરક્ષાત્મક અને વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ સ્થળ સિલીગુડીથી માત્ર 30 કિમી દૂર છે. આ કારણે જ્યારે ચીની સેનાએ ડોકલામમાં રોડ બનાવવાનું શરૂ કર્યું ત્યારે ભારતે તેનો સખત વિરોધ કર્યો હતો. ભારત અને ચીનની સેના 73 દિવસ સુધી આમને-સામને રહી અને ત્યાર બાદ ચીને પીછેહઠ કરી હતી.
Advertisement