ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અગાઉથી જ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રિજભૂષણ વિરુદ્ધ ગેરકાયદેસર ખાણકામના કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુરુવારે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ગોંડાના ત્રણ ગામમાં બ્રિજભૂષણ વિરુદ્ધ ગેરકાયદેસર ખાણકામની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
આ ગામોમાં ગેરકાયદેસર ખાણકામ થઈ રહ્યું છે
ફરિયાદીએ ગોંડાના મઝારથ, જૈતપુર અને નવાબગંજ ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન અને દરરોજ લગભગ 700 થી વધુ ઓવરલોડ ટ્રકો ચલાવવાને કારણે રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકયો છે. આ બાબતે જ ન્યાયિક સભ્ય જસ્ટિસ અરુણ કુમાર ત્યાગી અને નિષ્ણાત સભ્ય એ સેંથિલ વેલની બેન્ચે કહ્યું કે આ મામલાની સુનાવણીથી તે પર્યાવરણ સાથે સંકળાયેલો હોવાનું જણાય છે. તેથી, પરિસ્થિતિની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા માટે સંયુક્ત સમિતિની રચના કરવામાં આવે.
પર્યાવરણને થયેલા નુકસાનની કમિટી તપાસ કરશે.
એનજીટીએ પર્યાવરણ મંત્રાલય, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), નેશનલ મિશન ફોર ક્લીન ગંગા, યુપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગોંડાના ડીએમને સામેલ કરીને તપાસ માટે એક સંયુક્ત સમિતિની રચના કરી છે. આ કમિટી ગેરકાયદે ખાણકામ અને ઓવરલોડ ટ્રકોના કારણે પર્યાવરણને થયેલાં નુકસાનની તપાસ કરશે.
બે મહિનામાં રિપોર્ટ માંગ્યો
કમિટીને એક સપ્તાહની અંદર જે સ્થળોએ ગેરકાયદે માઈનિંગનો અહેવાલ મળ્યો છે તેની મુલાકાત લેવા જણાવાયું છે. આ ઉપરાંત, બે મહિનામાં હકીકતલક્ષી અને કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું. તપાસ બાદ સમિતિએ 7 નવેમ્બર સુધીમાં પોતાનો રિપોર્ટ દાખલ કરવાનો રહેશે.
ભાજપા સાંસદનો ઇનકાર
આ મામલે WFIના ભૂતપૂર્વ પ્રમુખનું કહેવું છે કે ગેરકાયદે માઈનિંગ સાથે મારે કે મારા પરિવારને કોઈ લેવાદેવા નથી. આ ખોટાં સમાચાર છે. આ ઘટના બનાવટી અને ખોટી છે. મારા પરિવારને કે મારે તેની સાથે કોઈ સંબંધ નથી.
Advertisement